મહુવા PGVCLની બેદરકારીને લીધે માનવ જીવ જોખમમા

397

મહુવા નુ પી જી વી સી એલ તંત્ર સાવ કુંભ કરણ ની નિદ્રા મા હોય તેવુ લાગી રહ્યુ છે તેને લઈ ને તંત્ર ની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગલ પર હોય તેમ નજર સમક્ષ દેખાઈ રહ્યુ છે

મહુવા મા પાવર સપ્લાયર ના અનેક મેઈન વાયરો સાવ જમીન થી માત્ર ૭-  થી ૮ફૂટ પર જોવા મલી રહ્યા છે ત્યારે ખાસ કરી ને અહી ફાતેમા સોસાયટી નજીક મેઈન વાયરો નીચે હોવાથી અકસ્માત નો ભય લોકો મા જોવા મલી રહ્યો છે અહી નજીક માજ બસ સ્ટોપ પણ આવેલ છે અને અવાર નવાર સરકારી બસો આ રોડ પર થીજ પસાર થતી હોય છે ત્યારે ડ્રાઇવર ની ભૂલ કે જવાબદાર તંત્ર ના લીધે જો ન કરે નારાયણ અને કોઈ અકસ્માત સર્જાઈ અને જાનહાનિ થઈ તો જવાબ દાર કોન તેવા વેધક સવાલો લોકો મા ઉઠવા પામ્યા છે ત્યારે વહેલી તકે જવાબદાર તંત્ર દ્વારા વાયરો ઊચલેવા ની કામગીરી કરવાં મા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે .

Previous articleરાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુલ ખાતે શરદપૂર્ણિમાંનો ભવ્ય મહોત્સવ ઉજવાયો
Next articleબોટાદ પોલિસની બોલરો કાર તેમજ રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત ૩ના મોત ૩ને ઇજાઓ