બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડાશેઃ ગિરીરાજ સિંહ

318

ભાજપા પ્રમુખ અમિત શાહે થોડા દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે, મુખ્યપ્રધાન નીતિશ કુમાર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુનું નેતૃત્વ કરશે. આ નિવેદનને સમર્થન કરતાં કેન્દ્રીય પ્રધાન ગિરીરાજ સિંહે પણ ભાજપના આ નિર્ણયને આવકાર્યો હતો.

પોતાના સંસદીય મત ક્ષેત્ર બેગૂસરાયમાં પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રીય પ્રધાન ગિરીરાજ સિંહે અમિતશાહના નિવેદનને સમર્થન કરતાં કહ્યું હતું કે, બિહારની આગામી વિધાસભાની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ થશે. લોકસભા ચૂંટણી અમે સમાન બેઠકો પરથી લડી હતી. આશા છે કે, વિધાનસભા ચૂંટણી પર આ પ્રમાણે જ લડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ ભાજપા પ્રમુખ અમિત શાહે નિવેદન આપ્યુ હતું કે મુખ્યપ્રધાન નીતિશ કુમાર બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુનું નેતૃત્વ કરશે.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૯ કંપનીની મૂડીમાં વધારો થયો
Next articleઇન્ટરનેશનલ કંપનીઓ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા ખાતરી