ભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા

1728

ભાવનગર શહેરના કાળુભા પાસે સત્યનારાયણ  રોડ પર આવેલ કોમ્પલેક્ષમાં મહાવીર હાડર્વરમાં નોકરી કરતા રાજુ ઉર્ફે અજય ઝેમલભાઈ મકવાણાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ. શહેરમાં દિવાળી તહેવાર નિમિત્તે ખુની ખેલ ખેલાતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. રાજુ મકવાણા નામના યુવાનને અજાણ્ય્‌ ઈસમો દ્વારા તિક્ષ્ણ હથિયારો વડે  ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર રાજુભાઈ મકવાણા તે સત્યનારાયણ રોડ પર આવેલ મહાવીર હાર્ડવેરમાં નોકરી કરે છે. ત્યાર મરનાર પોતે સાઈકલ પર આવીને દુકાનમાં જઈ તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા મારીન ઢીમ ઢાળી દીધ હતું હત્યા કર્યા બાદ આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં જઈને હાજર થઈ ગયો હતો.  આ બનાવની પગલે એલસીબી, એસઓજી તથા નિલમગબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleમહારાષ્ટ્ર : પવારે એકલા હાથે ૫૪ સીટો અપાવી
Next articleઆજે ધનતેરસ પ્રસંગે ઘેર-ઘેર મહાલક્ષ્મીનું પૂજન થશે