આઈટીઆઈ ગઢડા ખાતે એસટી બસનો શુભારંભ

652


ઘણા સમયની આઈટીઆઈની માંગણી અને લાગણીને અને આઈટીઆઈ સંસ્થાના તાલીમાર્થીઓના હિતને ધ્યાને લઈને ગઢડા એસટી ડેપોના મેનેજર સાહેબ દ્વારા માંગણી સ્વીકારી અને આજ રોજ તા.11/11/19 ના સોમવારે ગઢડા ડેપોથી આઈટીઆઈ સુધી બસ રૂટ સંસ્થાના સમય મુજબ આવવા-જવા માટે ફાળવવામાં આવ્યો..
સદર રૂટ માટે આજ રોજ ગઢડા મામલતદાર પીપલીયા સાહેબ, ડેપો મેનેજર પી.એમ.પટેલ સાહેબ તથા ટ્રાફિક કન્ટ્રોલર પી.પી.પરમાર, ગઢડા નગરપાલિકા પ્રમુખ પ્રતાપભાઈ, આઈ.ટી.આઈ પ્રિન્સિપાલ(ઇન્ચાર્જ) નાયી સાહેબ તથા સ્ટાફ પરિવાર, બોટાદ જિલ્લા પ્રમુખ સુરેશભાઇ ગોધાણી, ઇરફાનભાઈ ખીમણી, અમરશીભાઈ માણિયા તેમજ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરવામાં આવ્યું. તેમજ દરેક મહેમાનોનું મોં મીઠું કરવામાં આવ્યું હતું તેમજ ગઢડા આઈ.ટી.આઈ સ્ટાફ અને તાલીમાર્થીઓએ બસમાં મુસાફરી કરી હતી. આ બસ ચાલુ થવાથી તાલીમાર્થીઓએ અને આ રૂટના ગામડાના મુસાફરોએ હર્ષની લાગણી અનુભવી.

તસ્વીર : ધમૅન્દ્ર સિંહ સોલંકી

Previous articleવિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગરમાં હશે
Next articleભાવનગર જિલ્લામા ગામની દિકરી યોજનાનો પ્રારંભ કરાયો