નુસરત ભરૂચા બોલિવુડમાં કેરિયરને લઇને આશાવાદી

540

મુંબઇ,તા. ૧૧
પ્યાર કા પંચનામા સિરિઝની ફિલ્મો માટે લોકપ્રિય રહેલી અભિનેત્રી નુસરત ભરૂચા બોલિવુડમાં કેરિયરને લઇને આશાવાદી બનેલી છે. હાલમાં નુસરતે જુદા જુદા વિષય પર વાત કરી હતી. લવ રંજન અને અભિનેતા કાર્તિ આર્યનની સાથે તે ચાર વખત કામ કરી ચુકી છે. વારંવાર આ ટીમની સાથે કામ કરવા માટેના કોઇ ખાસ કારણ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા નુસરતે કહ્યુ હતુ કે આના માટેના કોઇ ખાસ કારણ નથી. તેનુ કહેવુ છે કે આ નિર્માતા નિર્દેશકો કરતા તેને વધારે સારુ કામ અન્ય કોઇ આપી રહ્યુ નથી. લવ અને કાર્તિક સાથે તે કેટલીક ફિલ્મ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે એક ફિલ્મ બાદ બીજી ફિલ્મ તેના કરતા વધારે સારી બની છે. આ ટીમ સાથે કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે તે એક્ટિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકી છે. તેનુ કહેવુ છે કે સંઘર્ષના દિવસો હજુ પૂર્ણ થયા નથી. તેનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચના મામલે તે વધારે કહેવા માંગતી નથી. તેની સાથે સીધી રીતે ક્યારેય આવુ બન્યુ નથી. પરંતુ ઇશારામાં સમજી શકાય છે કે સામે વાળી વ્યÂક્ત આપની પાસેથી શુ ઇચ્છે છે. તેનુ કહેવુ છે કે એક વખત બોલ્ડ ફિલ્મ માટે તેને બોલાવવામાં આવી હતી અને આ વિષય પર વાત કરવામાં આવી હતી. તેનુ કહેવુ છે કે સાહસ સાથે આગળ વધનાર માટે કોઇ તકલીફ નથી. બોલિવુડમાં નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી અભિનેત્રીઓ સાથે કાસ્ટિંગ કાઉચ જેવી ઘટના જાવા મળે છે. આ બાબત વાÂસ્તક છે. નુસરત પાસે સારી ફિલ્મ પણ આવી રહી છે. સાથે સાથે તે પોતાના રોલને લઇને હવે સાવધાની રાખી રહી છે. તેની કુશળતાની નોંધ તો પહેલા જ લેવામાં આવી ચુકી છે. બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ માટે તે આશાવાદી છે.

Previous articleકોરિયન મુવીની રીમેકમાં સોનમ કપુર જાવા મળશે
Next articleલોકપ્રિય મહાન ગાયિકા લતા મંગેશકર હાલમાં સારવારમાં