લગ્નને લઇને હજુ ફિલ્મી ચાહકોને રાહ જોવી પડશે

602

મુંબઇ,તા. ૨૦ અભિનેત્રી આલિયા ભટ્ટે ખુલાસો કરતા કહ્યુ છે કે વહેલી તકે લગ્ન કરવા માટેની કોઇ યોજના નથી. તેનુ કહેવુ છે કે તેના લગ્ન માટે હજુ ચાહકોને થોડાક સમય સુધી રાહ જોવી પડશે. હાલમાં બોલિવુડમાં લગ્નનુ વાતાવરણ ચાલી રહ્યુ છે. દિપિકા અને રણવીરસિંહના લગ્ન થયા બાદ પ્રિયંકા અને જોનસના લગ્ન થયા હતા. આલિયા ભટ્ટે ખુલાસો કરતા કહ્યુ છે કે તેના ચાહકો અને શુભચિંતકોને હાલમાં રાહ જોવી પડશે. હજુ સુધી એવા હેવાલ આવી રહ્યા હતા કે આલિયા અને રણબીર કપુર પણ વર્ષ ૨૦૧૯માં લગ્ન કરી લેશે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે જો લોકો તેના લગ્નની રાહ જોઇ રહ્યા છે તો હજુ થોડાક સમય સુધી રાહ જોવી પડશે. આલિયા અને રણબીર કપર એકબીજાના પ્રેમમાં છે તે બાબત જાહેર થઇ ચુકી છે. કારણ કે રણબીર કપુર અને આલિયા થોડાક સમય પહેલા સોનમ કપરના લગ્નમાં સાથે નજરે પડ્યા હતા. રણબીર કપુર અને આલિયા હાલમાં સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મને લઇને તે આશાવાદી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં ક્રિસમસ પર રજૂ કરવામાં આવનાર છે. નિર્માતા નિર્દેશક અયાન મુખર્જી દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને લઇને આલિયા અને રણબીર કપુર બંને ખુશ છે. સંજુ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કર્યા બાદ હવે રણબીર કપુર સૌથી મોટા સ્ટાર તરીકે છે. ફિલ્મને અભૂતપૂર્વ સફળતા હાથ લાગી હતી.
સંજયદત્તની ભૂમિકા રણબીર કપુરે જોરદાર રીતે અદા કરી હતી. હવે તે સૌથી વધુ માંગ ધરાવતો સ્ટાર છે. હાલમાં રણબીર કપુર કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. જેમાં વાણી કપુરની સાથે શમશેરા નામની ફિલ્મ પણ સામેલ છે. વાણીની વોર નામની ફિલ્મ હાલમાં સુપરસ્ટાર તરીકે ઉભરી હતી. વોર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.

Previous articleપુજા બેદીની પુત્રી એલિયા હવે ફિલ્મમાં એન્ટ્રી કરશે
Next articleવેરાવળ ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી