શિવાજી સર્કલ ખાતે પ્રિયંકા રેડ્ડી ના હત્યારાઓને ફાંસી ની માંગ સાથે ફોટો સળગાવી વિરોધ

878

ભાવનગર શહેર માં શિવાજી સર્કલ ખાતે આજે મંગળવાર ના રોજ આખા દેશ માં હાહાકાર મચાવનાર અને અત્યંત નિંદનીય રેપ અને મર્ડર ના બનાવ ને વખોડવા માટે અને પ્રિયંકા રેડ્ડી ના આત્મા ને શાંતિ મળે એ માટે શિવાજી સર્કલ ખાતે બંન્નાગ્રુપ પરિવાર અને લાલભા ગોહિલ (નવાણિયા), જયદેવસિંહ ગોહિલ (કુકડ), સંજયભાઈ મિસ્ત્રી, કશ્યપભાઈ પટેલ, કિશનભાઈ દુબલ, હર્ષદિપભાઈ અને કમલેશભાઈ ચંદાણી (સિંધીસેના ગુજરાત અધ્યક્ષ) દ્વારા પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ આપી અને 2 મિનિટ નું મૌન પાળવા માં આવ્યું હતું.

અને ત્યાર બાદ આરોપી ના ફોટા વાળા બેનર સળગાવી વિરોધ પ્રદર્શન કરી આરોપી ને ફાંસી ની સજા ની માંગ કરી હતી.

Previous article6 ડિસેમ્બર જોવા જેવી થશે – જીગ્નેશ મેવાણી
Next articleનગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત