નિરમા લિમિટેડના સહયોગથી શિશુવિહાર સંસ્થા દ્વારા નર્મદ ગામજનો ને ચશ્માં વિતરણ કરાયા

1571

શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા.24 ડિસેમ્બરને મંગળવારે ભાલ વિસ્તાર ના નર્મદ ગામ ની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તપાસ અને આ જ પ્રાથમિક શાળાના બાળકો ની હિમોગ્લોબિન તપાસ કરવામાં આવેલ. જેમા 74 દર્દી નારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામ જનોને આરોગ્ય તપાસ કરીને 88 દર્દી નારાયણો ને દવા આપવામા આવેલ. શાળાનાં 34 બાળકો ને હીમોગ્લોબિન તપાસી ને 8 બાળકોની દવા આપવામા આવેલ.

આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડનાં પરેશભાઈ રાઠોડ,સરપંચ સુરજબહેન રાઠોડ,શાળા નાં આચાર્ય બળવંતભાઇ ભટ્ટ,ડૉ. જશુબહેન જાની, હિરેનભાઈ જાંજલ, મીનાબહેન મકવાણા, કૃપાબહેન ઓઝા, રેખાબહેન ભટ્ટ તથા રાજુભાઈ મકવાણા એ સેવા આપેલ.

Previous articleવલભીપુર સામુહિક આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રતિક ધરણા યોજયા
Next articleભાવનગર શહેરમાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં CAA અંગે લોકોને માહિતગાર કરવા બાઈક રેલી યોજાઈ