મારામારીના કેસમાં ભાવનગર જીલ્લા માંથી એક ઇસમને તડીપાર કરાયો

744

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી વી ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના કરેલ તેમજ માથાભારે ઇસમો વિરૂધ્ધ્માં પાસ દરખાસ્ત તથા હદપારી દરખાસ્તો તૈયાર કરી આવા ઇસમો વિરૂધ્ધમાં પગલા લેવા સુચના આપેલ.

જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ ભાવનગર કરચલીયા પરામાં રહેતા અને મારા મારીના ગુન્હાઓમાં સંડોવાયે ઇસમ વિજય ઉર્ફે ભંભોટ ભુપતભાઇ મકવાણા રહે. ભાવનગર કરચલીયાપરા ધનાનગર વાળા વિરૂધ્ધકમાં ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુન્હાઓ નોઘાયેલ અને તે ગુન્હામાં મજકરુ ઇસમને પકડવામાં આવેલ તે સાઘનીક ગુન્હાઓના કાગળો તૈયાર કરી ભાવનગર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ તરફ મોકલી આપવામાં આવેલ તે દરખાસ્ત વંચાણે લઇ મજકુર ઇસમની અસામાજીક પ્રવૃતી ધ્યાને લઇ ભાવનગરના સબ ડિવિઝનલ મેજી.ડી.એન.ચૈાઘરી સાહેબે મજકુર ઇસમને ભાવનગર જીલ્લા (ગ્રામ્ય તથા શહેર) માંથી ત્રણ માસની મુદત માટે તડીપાર કરવા હુકમ જારી કરેલ હતો.
આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહરેમાં પેટ્રોલીંગમાં હતી તે બાતમીરાહે હકિકત મળેલ કે સબ ડિવિ.મેજી. ભાવનગરના હદપારી હુકમ વાળો ઇસમ વિજય ઉર્ફે ભંભોટ ભુપતભાઇ મકવાણા કરચલીય પરા અગરીયા વાડ પાસે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર જઇ ખાત્રી કરતા મજકુર વિજય ઉર્ફે ભંભોટ ભુપતભાઇ મકવાણા રહે.કરચલીયાપરા ભાવનગર વાળો હાજર મળી આવતા મજકુરને એલ.સી.બી. કચેરી ખાતે લાવી હદપારી હુકમની બજવણી કરી મજકુર ને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ માસ માટે હદપાર કરેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફનાં હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ, હરગોવિંદભાઇ બારૈયા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleઅમરેલી જીલ્લાના વંડા પોલીસ સ્ટેશનના અનડીટેકટ મારામારીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમ ઝડપાયો
Next articleચાર વર્ષ પહેલા રાજકોટ જેલ માંથી પેરોલ જમ્પ કરેલ ખુને કેસનો આજીવન સજા પામેલ નાસ્તો ફરતો આરોપી ઝડપાયો