ઓમ સેવા ધામ સંસ્થા દ્વારા નિઃસહાય-નિરાધાર વડીલોનો સામુહિક જન્મદિવસની ઉજવણી કરાઈ

593

ભાવનગર સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામમાં સંસ્થામાં વસતા ૪૦-નિરાધાર અને ની:સહાય એવા એકલવાયુ જીવન જીવતા વડીલોને પોતાના જન્મ દિવસની તારીખ કે દિવસ યાદ ન હોય પરંતુ આ સંસ્થા દ્વારા વડીલો ને રાજી રાખવા તેમજ ઉમંગ અને ઉત્સાહનો વધારો કરવા આજરોજ આ સંસ્થા દ્વારા દરેક વડીલોનો એકસાથે શાનદાર સમૂહ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થા છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે. આ સંસ્થા નિરાધાર અને નિ:સહાય વડીલોને ભૂતકાળના સંસ્મરણો દૂર કરી નવુ જોમ અને ખુશી લાવવાનો હર હંમેશ પ્રયત્ન કરે છે. આ કાર્યક્રમમાં ભાવનગરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષી, અને પાળીયાદ વિસામણબાપુની જગ્યાના ગાદીપતિ વિમળા બા પણ ઉસ્થિત રહ્યા હતા અને વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા.

Previous articleમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે સુરેન્દ્રનગર ખાતે વિહારધામ નું લોકાર્પણ તથા તીર્થંકર જિનાલય નું ભૂમિપૂજન કરાયું
Next articleવરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી