વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી

782

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે વરતેજ પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.ન. ૩૯૩/૨૦૧૯ પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા ઉ.વ.૫૮ રહેવાસી પ્લોટ નં. ૧૩/એ, શાંતીનગર, પ્રેસ કવાટર્સ પાસે, ચિત્રા ભાવનગર વાળાને નારી ચોકડી પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા જોડાયા હતા.

Previous articleઓમ સેવા ધામ સંસ્થા દ્વારા નિઃસહાય-નિરાધાર વડીલોનો સામુહિક જન્મદિવસની ઉજવણી કરાઈ
Next articleઆંબાચોકમાં આવેલ મોટા ફળીયામાં ચંપલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી