રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા CAA ના સમર્થનમાં ભવ્ય રેલી નું આયોજન

586

રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા તા.6/2/2020 ને શુક્રવારના રોજ CAA ના સમર્થનમાં એ.વી.સ્કુલ ના મેદાન ખાતેથી ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે ભાવનગર ભાજપા દ્વારા આજ રોજ સર્કિટહાઉસ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગમાં ભાજપા અધયક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રભારી મહેશભાઈ કસવાલા, શહેર પ્રમુખ સનતભાઈ,જીલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મહામંત્રીઓ,મેયરશ્રી-ડે મેયર, ચેરમેન નેતા, દંડક, શિક્ષણ ચેરમેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેર સંગઠન ના હોદ્દેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ નાં પ્રમુખ – મહામંત્રીઓ, વોર્ડ નાં પુર્વ પ્રમુખ- મહામંત્રીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિ ના સભ્યો, લિગલ સેલ ના કન્વીનર, ડોક્ટર સેલ કન્વીનર, આઈ ટી સેલ, મોરચા ના પ્રમુખ-મહામંત્રીઓ વિવિધ સંગઠનો ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ રેલી ભાવનગરના એ.વી.સ્કૂલ ખાતે થી પ્રસ્થાન થઈ હુલરીયા ચોક-રૂપમચોક-મામાકોઠા-બાર્ટન લાયબ્રેરી-હુલરીયા ચોક શહીદ સ્મારક ખાતે પુર્ણ થશે. રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા સર્કિહાઉસ ખાતે મીટીંગ આયોજન માં પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ દરેક હિન્દુ સમાજ (દરેક જ્ઞાતી) ના અગેવાનઓ એ એ.વી. સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રેલી માં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે.

Previous articleમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમા ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમો યોજાયો
Next articleઇસ્કોન ક્લબ ખાતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાઈ