અનુભવના ઓટલે અંક: ૫૧ મમતાનો સાગર

1563

પ્રેમલાગણીસંવેદનાસ્નેહ અને મમતાનો સરવાળો એટલે માતા અર્થાત જનેતા.

કવિ બોટદકર કહે છે:

“ મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની.

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની.

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની.

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની.

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની.

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની.

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની.

ધરતી માતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની.

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની.

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની.

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.”

કવિની ભાવનાને સંક્ષિપ્તમાં વ્યક્ત કરીએ તો સંસારભૂમિ પર માતાની બરોબરી કરી શકે તેવી એક પણ વ્યક્તિ મળવાની કોઈ સંભાવના નથીગંગાયમુનાના પ્રવાહના નીરમાં વધઘટ થઈ શકે છેપણ માતાનો પ્રેમ અવિચળ હોય છેગમે તેવી પરિસ્થિતિમાં તેમાં ફેરફાર થતો નથીઅર્થાત તેમાં ભરતી-ઓટ આવતી નથીબાહ્ય રીતે ગુસ્સે દેખાતી માતા ભીતરમાં પ્રેમના પુષ્પો ઉગાડતી હોય છેઅંતરમાં વિકાસ પામતા લાગણીના છોડ પર ઊગી નીકળેલી કળીઓ ખીલી ઊઠવા ઉતાવળી હોય છેતેને પોષવા પ્રેમની સરિતામાં ઘોડાપૂર ઊમટે છેબાળકના વિકાસ માટે માતા કઠોર બનવાનો અભિનય પણ કરતી હોય છેજનેતા પોતાના બાળકને દુ:ખી જોઈ શકતી નથીતે પોતાના બાળકને કદી પણ દુ:ખ પહોંચાડતી નથી.

 

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,

મહા હેતવાળી દયાળી  મા તું,

સૂકામાં સુવાડી ભીને પોઢી પોતે,

પિડાં પામી પંડે, ત્યજે સ્વાદ તો તે,

મહા હેતવાળી દયાળી જ મા તું,

પડું છેક તો રાખતું કોણ છાનું,

મહા હેતવાળી દયાળી  મા તું”

 

ઉક્ત પંક્તિઓમાં કવિએ માતાનું સ્પષ્ટ શબ્દચિત્ર આલેખ્યું છેમાતા પોતાના બાળકને એક પણ દુ:ખ સહન કરવું  પડે તેની પૂરેપૂરી કાળજી રાખે છેબાળકને સૂકામાં સુવડાવે છેપણ પોતે ભીનામાં સૂવાનું પસંદ કરે છેમાણસની જેમ અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પણ પોતાના બચ્ચાના ઉછેર માટે ઘણી કાળજી લેતા હોય છેમાટે આપણે ત્યાં કહેવાય છે. “મા તે મા બીજા વગડાના વા” માની તુલના કોઈ પણ સાથે થઈ શકે નહિમાતા અને બાળકનો અતૂટ સંબંધ ગર્ભમાં,પીંડબીજનું નિર્માણ થતા  રચાય છે સમય દરમિયાન માતા જે હરકતો કરતી હોય છેતેની સીધી અસર ગર્ભમાં ઉછરતાં બાળક પર થાય છેમહાભારતમાં સુભદ્રા વિશે એક વાર્તા ખૂબ જાણીતી છેભગવાન કૃષ્ણ બહેન સુભદ્રાને સાત કોઠાની વાર્તા સંભળાવતા હતાપરંતુ સુભદ્રાજી અચાનક ઊંધી જતા વાર્તા અધૂરી રહી જાય છેપરિણામે ગર્ભમાં વિકાસ પામતો બાળક છેલ્લા કોઠાયુદ્ધની વિદ્યા જાણી શકતો નથીતેથી સાતમા કોઠામાં જ્ઞાનના અભાવે વીર અભિમન્યુનો ઘોર પરાજય થાય છેઆમ,સત્સંગ અને સંસ્કાર વડે માતાના ગર્ભમાંથી જ બાળકની કેળવણીનો પ્રારંભ થઇ જાય છે. એટલે માતાની કેળવણીનું મહત્ત્વ દર્શાવતીએક કહેવત ખૂબ જાણીતી બની છે:

એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે”

એટલે કે એક માતા સો શિક્ષકો શીખવે તેના કરતા પણ વધુ શીખવતી હોય છેકોઈ પણ માતા બાળકના ઘડતર માટે સતત ચિંતિત રહેતી હોય છેમળેલી દરેક ક્ષણનો ઉપયોગ કરીતે પોતાના બાળકને કેળવણી આપવાનું ચૂકતી નથીઅભણ કે અશિક્ષિત માતા પણ પોતાના બાળકની ઉત્તમ શિક્ષકા છેભલે વિદ્યા પ્રાપ્તિ માટે આપણે સતત ગુરુની ખોજમાં રહેતા હોઈએપણ ખરી કેળવણી તો આપણને માતા  આપે છેમાતા પાસેથી આપણને પ્રથમ પાંચ વર્ષમાં જે શીખવા મળે છેતે જિંદગીના બાકીના વર્ષોમાં મળતું નથીમાતા તરફથી આપણને જે મળ્યું હોયતેને આપણા શિક્ષકો કે માર્ગદર્શકો સુવ્યસ્થિત કરતા હોય છેનવું શીખવતા નથીઅહીં શીખવું એટલેમાહિતી પ્રાપ્ત કરવાનો સંકૂચિત અર્થ નથીશીખવું અર્થાત વ્યક્તિત્વનું ઘડતર કરવુંજીજાબાઈના હાલરડાંએ કેવી કમાલ કરી હતી શિવાજી મહારાજને પારણામાં મળેલા સંસ્કાર કેટલી ઊંચાઈ પ્રદાન કરી શક્યા હતાતેની ઇતિહાસ સાક્ષી પૂરે છમાતા પોતાના બાળકના ઉછેર માટે ઘણા રોલ ભજવતી હોય છેતબીબશિક્ષકપોલીસ અને મિત્ર જેવી અનેક ભૂમિકા ભજવી પોતાના બાળકનો ઉછેર કરે છેબાળક માંદું પડે તો તેની દેશી ઉપચારો વડે સારવાર કરે છેસાજું થતા  તેને જીવન શિક્ષણના પાઠ ભણાવા લાગે છેવળી, બાળક જો તોફાન કરે તો તેની સોટી લઈખબર લેતા પણ તે ખચકાતી નથીઆનંદ કિલ્લોલ કરતા બાળક સાથે માતા રમકડાં વડે રમવા પણ લાગે છેએટલે આપણે ત્યાં કહેવાય છેમાતાની તોલે કોઈ આવી શકે નહિકારણ કે સમય આવ્યે તે એક તબીબ બની જાય છેકોઈવાર બાળકને નવું-નવું શીખવવા શિક્ષક પણ થઈ જાય છેશિક્ષાના પાઠ ભણાવા કઠોર પણ બની શકે છેબાળક સાથે બાળક બની રમી પણ શકે છેમાતાનું શબ્દચિત્ર આલેખવું હોય,તો ભાષાનો ખજાનો ખાલી કરવો પડેખજાનો ખાલી થવા છતાં શબ્દચિત્ર અધૂરું રહે છતાં માતાના ઋણમાંથી મુક્ત થવાના પ્રયાસરૂપે યત્કિંચિત યત્ન કર્યો છે.

 ખૂબ નાની વયે માતાનું છત્ર ગુમાવ્યું હતુંતેથી “ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સૂનો સંસાર” કહેવત હું અનુભવી રહ્યો છુંમાતાની ગેરહાજરીમાં પિતાએ કદી પણ ગોળ વિનાનો મોળો કંસાર જમાડ્યો નથીએટલે કે પિતાએ મારા ઉછેરમાં નાનકડી કમી પણ આવવા દીધી નથીપરંતુ અહીં વિષયાંતર કરવા ઇચ્છતો નથીમાતાની વિદાય ઘણી વસમી હતીખાવાના સાંસાં પડી જતાં હતાભૂખ કરતા ગુમાવેલી માનો પ્રેમ મને વધુ પીડા આપતો હતોમારી હાલત ખૂબ  નાજુક અને દયનીય બની ગઈ હતીઆભ ફાટે ત્યારે તેને થીગડું દેવા જઈ શકાતું નથીતેમ મારે પણ સમય સાથે લડવાનું હતુઈશ્વર અનેક મિત્રોના હૃદયમાં સવાર થઈ મારી મદદે આવી પહોંચ્યો હતોતેની કૃપા વડે નિયત મંજિલના માર્ગ પર મારી યાત્રા ચાલતી રહી છેયાત્રામાર્ગના અવરોધોમાંથી હું એટલું જરૂર શીખ્યો છુંપારસમણિ લોખંડને સુવર્ણ બનાવે છે પણ એક જનેતા પાપી જીવને ઇશ્વર બનાવી શકે છેકારણ કે તે સંસ્કારની સરિતા છેનદી આપણા શરીરના મેલને ધોઈ શુદ્ધ બનાવી દે છેતેમ માતારૂપી સરિતા આપણા જીવાત્માને ચોટેલી કર્મની અશુદ્ધિથી મુક્ત કરી શકે છેકાશ મને આવું સદ્ભાગ્ય સાપડ્યું હોત તો માતાની લાગણીને પામી તરબતર થયો હોત. નાની વયે માતાનું છત્ર ગુમાવવાના લીધેપ્રેમની સરિતાના સ્નાનથી વંચિત રહેલો હું માતા વિશે શું લખવાનો હતો? આવા ડરના લીધે મેં મારા પ્રસિદ્ધ થયેલા ત્રણ પુસ્તકોમાં માતા વિશે એક પણ પેરેગ્રાફ લખવાની હિંમત કેળવી નથીમારા સારસ્વત મિત્રો કહેશે કે તો પછી તમને અચાનક માતા વિશે લખવાનો પાનો કેમ ચડી ગયો છે? કહુ છું ભાઈ જરા ધીરજ તો રાખોથોડા સમય પહેલા વૈષ્ણવજન પદનું રસદર્શન કરાવવા મેનાબા જાડેજાનું સુચન વ્હોટ્સ એપ પર સાંભળવા મળ્યું હતુંગાંધી નિર્વાણ દિવસને અનુલક્ષીને હું કશુક લખવા મથતો  હતો. “ભાવતું હતું ને વૈદે કહ્યું” મેનાબાનું સૂચન મળતા  મારા ઓર્બિટનાં બટન કૂદાકૂદ કરવા લાગ્યાલેખ પૂરો થઈ,પ્રસિદ્ધ પણ થયોલેખ સાંભળી વળી ફરી મેનાબાએ એક વધુ સૂચન કરી નાખ્યુંસર માતા વિશે તમે કશુંક લખો તો સારુંકારણ કે માતાના આપણા પર ઘણા ઉપકાર હોય છેતેથી માતાની લાગણીને પણ શબ્દદેહ મળવો જોઈએમેનાબાને ક્યાં ખબર હતી કે ખાખરાની ખિસકોલી આંબાના રસ વિશે શું જાણે? છતાં સારસ્વત્ વાચક કે શ્રોતાને અવગણી શકાય નહિતેમ સમજી મેં મારું અજ્ઞાન પ્રગટ કરવાનું જોખમ ઉઠાવ્યું છેછતાં બાળપણમાં મારા પર માતાના જે ઉપકારો રહ્યા હતાતેના આધારે હું એટલું તો જરૂર કહી શકું છું કે સમુદ્ર ખૂબ ખારો ધુધવા જેવો હોય છેપણ માતા મમતાના સ્નેહથી ઊભરાતો મીઠો સાગર છેતેનો જોટો જગતમાં જડતો નથીતે પ્રેમના તાંતણે પરિવારના સભ્યોને એકમેકની સાથે જોડે છેમારી જનેતા અજવાળીબહેનના અજવાળે મારી નાવ સંસારરૂપી સાગરમાં પોતાનું અંતર ધીમી ગતિએકાંપી રહી છેતેના પ્રકાશ વડે મારી મંજિલનો કિનારો શોધવામાં સરળતા રહેશેતેવી મને શ્રદ્ધા છે. માતાના સ્નેહનું જળ વ્યક્તિના પૂર્વ જન્મના ખોટા સંસ્કારોની ધોલાઈ કરીસદ્ગુણોનું સિંચન કરે છે.

કવિ બોટાદકર કહે છે:

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ.

એથી મીઠી છે મોરી માત જો જનનીની જોડ સખી નહિ જડે રે લોલ”

મીઠી સાકર અથવા વરસાદ આપણને ઘણો મીઠો લાગે છેવળી માતાનો પ્રેમ તો તેનાથી પણ મીઠો હોય છેતેથી તેની સરખામણી કોઈ પણ સાથે થઈ શકે નહિકવિની માતા પ્રત્યેની લાગણી સમજવા જેવી છેપરંતુ વર્તમાન સમયમાં ગંગા ઊલટી વહે છેકારણ કે એક માતા ચાર સંતાન ઉછેરી શકે છેપણ ચાર સંતાન એક માતાનું પાલન કરી શકતા નથી. બાગબાન ફિલ્મ ઘરઘરની કહાની બની ગઈ છેમાતાપિતાને પાલવવા કોઈને ગમતા નથીસાસુસસરા માટે જમાઈ પાણીપાણી થઈ જાય છેજમાનો બદલાઈ રહ્યો છેભેળસેળિયા ખોરાકે સંસ્કારોનું નિકંદન કાઢ્યું છેત્યારે બદલાતા જમાનાને આપણે તિલાંજલી આપવી પડશેઆપણી સંસ્કૃતિનું આપણે જતન કરવું પડશેસંસ્કૃતિ આપણી ઓળખ છે તો સંસ્કાર આપણો પરિચય છેએટલે આપણે ત્યાં એક કહેવત ખૂબ જાણીતી બની છે.

પુત્રનો પગ પારણામાંથી અને વહુનો પગ બારણામાંથી ઓળખાઈ જાય છે.”

અર્થાત પુત્ર પારણાંમાં હોય અને વહુ નવી આવી હોય તો પણ તેના લક્ષણોથી પરખાઈ જાય છેબંનેનો પરિચય આપણને પ્રારંભમાં  થઈ જાય છેસંસ્કારની પાઠશાળા એવી માતા વિના સંસ્કાર અર્થાત્ સંસ્કૄતિનો ઉદ્ભવ થઈ શકતો નથીતે નિર્વિવાદ બાબત છેમાતા સંસ્કાર અને સંસ્કૃતિની ફેક્ટરી પણ છેદયા અને કરુણાની મૂર્તિ છેસંવેદનાની શોભા એવી માતા કવિને ભોળી લાગે છેમાટે કવિ ગાય છે:

 

तू कितनी अच्ची हैतू कितनी भोली हैप्यारी प्यारी है,
ओ माँओ माँओ माँओ माँ ।
यह जो दुनिया हैवन है कांटो कातू फुलवारी है,
ओ माँओ माँओ माँओ माँ ॥

दुखन लागी हैं माँ तेरी अँखियाँ,
मेरे लिए जागी है तू सारी सारी रतिया ।
मेरी निदिया पे अपनी निदिया भी तूने वारी है,
ओ माँओ माँओ माँओ माँ ॥

अपना नहीं तुझे सुख दुःख कोई,
मैं मुस्काया तू मुस्काई मैं रोया तू रोई ।
मेरे हसने पे मेरे रोने पे तू बलिहारी है,
ओ माँओ माँओ माँओ माँ ॥

माँ बच्चो की जा होती है,
वो होते हैं किस्मत वालेजिनकी माँ होती है ।
कितनी सुन्दर हैकितनी शीतल हैन्यारी नयारी है,
ओ माँओ माँओ माँओ माँ ॥

 

રાજા ઓર રંક ફિલ્મી ગીતનાં શબ્દો હૃદય ફાડી નાખે તેવા છેજગતમાં મા કોઈ પણ બાળક માટે ઈશ્વર બનીને આવતી હોય છેસાહિત્યમાં માતા વિશે આપણા સાહિત્યકારોએ ખૂબ લખ્યું છેએક હાસ્ય કલાકાર માતા વિશે વ્યંગ કરી કહે છે:

હે મા, તું મને છોડી ભગવાનને પ્યારી થઈ ગઈ છોમારો બાપ બીજી મસ્ત મજાની મા લઈ આવ્યો છેતે નવી માના ખોળામાં બાપની હાજરીમાં લાડ કરવાની ખૂબ મજા આવે છેપણ કોઈવાર મારો બાપ બહારગામ ગયો હોય અને હું તોફાન કરું તો મારી નવી મા ખીજાય છે, ઠપકો આપે છે. કોઈવાર થોડો મેથીપાક પણ આપે છે. મને ખાવા નહિ આપું તેમ કહી ખરેખર ખાવા આપ્યા વિના ઊંઘી જાય છેએટલે કે મારી નવી મા સાચા બોલી છેના કહે એટલે મને ખાવા આપતી નથીમા તું પણ મારા પર ગુસ્સે થઈ આવું ઘણીવાર બોલતી હતીવળી, થોડીવારમાં બધું ભૂલી જતી હતીમને જમવાનું આપતી હતીમેં મારા બાપને પણ કહી દીધું છે કે તું સાવ ખોટી હતીનવી મા વચન પાલક છેજમવાની ના કહ્યા પછી કદી જમવાનું પણ પૂછતી નથીજૂની મા વારંવાર ના કહેવા છતાં દરેકવાર મને જમાડ્યા વિના સુવા દેતી  હતીતેથી હું તેને સાવ ખોટી મા કહું છુંના પાડી હોવા છતાં જમાડે તે મા તો ખોટી  કહેવાય ને? મારી વાત સાંભળી હ મા મારો બાપ ચોધાર આંસુએ રડતો હતો.”હાસ્યકલાકારનો વ્યંગ ઘણું કહી જાય છેજનેતા પોતાના બાળકને કદી ભૂખ્યો સુવડાવતી નથી એટલે તેને ઈશ્વરની ઉપમા આપણા સાહિત્યકારો આપે છેઇશ્વર ભલે આપણને ગમે તેવા દુ:ખ મોકલી આપણી પરીક્ષા કરતો હોયતેમાંથી ઉગારવાનું કામ પણ ઈશ્વર પોતે  કરતો હોય છેજીવની શી તાકાત છે?

 

 મમતાનો સાગર બની ધરતી પર ઊતરી આવેલીમારી જનેતા અજવાળીબહેન અને સમગ્ર વિશ્વની માતાઓને મારા શતશત વંદન

લેખક: લાભુભાઈ ટી. સોનાણી

Previous articleશિક્ષક એકતા નુ થશે વિરાટ પ્રદર્શન
Next articleહોળી 2020, બોલીવુડ અને ટેલિવિઝન ના સીતારા સાથે