ભાવનગર શહેરનાં કાળાનાળા ચોકમાં સિંધી યુવાનની દિન દહાડે કરપીણ હત્યા

3854

ભાવનગરમાં  રવિવારે સાંજના ૪ કલાકે એક બચરવાળ સિંધી યુવાનની કેટલાંક અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી નાખી હતી અને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસનો મસમોટો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર શહેરનાં રૂપાણી સર્કલ દિવડી પાસે રહેતા અને શહેરનાં સંત કંવરરામ ચોકમાં સીતારામ પાન સેન્ટર નામની કેબીન ધરાવતાં અનિલભાઈ ખેમચંદભાઈ રહેજા ઉ.વ.૪૨, આજે સાંજે તેની દુકાનેથી કાળાનાળા ચોક ઉપરકોટ પાસેથી પસાર થતા હતા તે વેળાએ કોઈ અજાણ્યા શખ્સોએ તેને રસ્તા વચ્ચે આંતરી તેના પર છરીના આડેધડ ઘા ઝીકી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. મૃતક યુવાનને પરિવારમાં પત્ની અને એક દિકરો છે અને ત્રણ ભાઈઓમાં અનિલ સૌથી નાનો હતો.તેના મોટાભાઈ બચુભાઈ અને કમલેશભાઈ પણ ભાવનગરમાં વેપારી છે. આજે બનેલી હત્યાની આ ઘટનાથી સિંધી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બનાવ ની વધુ વિગતોની રાહ જાવાઈ રહી છે.

Previous articleકોરોના વાયરસને કારણે તમામ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ૧૨ એપ્રિલ સુધી સ્થગિત કરાઈ
Next articleકોમી એકતા સાથે ઘોઘામાં હઝરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો ઉર્ષ ઉજવાયો