શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે બાળકો તથા વાલીઓ માટે ક્રાફટ તાલીમ શિબિર યોજાઈ

653

શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે શારદાબહેન ધીરજલાલ દેસાઈ તાલીમ ભવનમાં બાળકો માટે જીવન શિક્ષણ તથા વાલીઓ માટે પ્રશિક્ષણ ક્રાફટ તાલીમ યોજાઈ ગયો.આદ્યશક્તિ માઁ અંબાના સાનિધ્યમાં નવરાત્રી પ્રસંગે યોજાયેલ કાર્યક્રમ સાથે આરતી ની થાળી સુશોભન સ્પર્ધા તથા સહકુટુંબ ગરબા તથા માઁ અંબેની આરતી કાર્યક્રમ યોજાયેલ. આ ઉપક્રમે શિશુવિહાર સંસ્થા દ્વારા સહુ લાભાર્થીઓને ભોજન તથા પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંકલન સંસ્થા બાલમંદિરના શિક્ષકો એ સંભાળ્યું હતું.

Previous articleમહાનગરપાલિકાની સાધારણ સભા ત્રણ એજન્ડા સાથે ૨૯મી ઓક્ટોબરે મળશે
Next articleપેસેન્જર મળવાની બાબતમાં ભાવનગર એસ.ટી. ડીવીઝન ગુજરાતમાં પ્રથમ