પાલીતાણાનાં ઉપપ્રમુખના પુત્ર પર અજાણ્યા શખ્સો દ્વારા થયેલા હુમલામાં મોડીરાત્રે મોત

358

પાલીતાણા શહેર ના દાણાપીઠ માં રાત્રી ના સમયે રવિવાર હોય માકેટ બંધ હોય ત્યારે નગરપાલિકા ના ઉપ પ્રમુખ ઉસ્માનભાઈ સૈયદ ના પુત્ર અયુબ ઉસ્માનભાઈ સૈયદ ઉ ૨૬ ઉપર તીક્ષણ હથિયાર વડે શહેર ના મધ્યભાગમાં આવેલ દાણાપીઠ વિસ્તારમાં હુમલો કરી અજાણ્યા શકસો નાસી જવા પામ્યા હતા ઈજાગ્રસ્ત યુવાન ને પ્રથમ પાલીતાણા ની સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ ભાવનગર ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મોડી રાત્રીના સમયે મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો છે.ઈજાગ્રસ્ત ને સાથળના ભાગે હુમલો કરેલ હોવાનું જાણવા મળેલ છે તેમજ ઈજાગ્રસ્ત યુવાન પાલીતાણા માં મોબાઈલ ની દુકાન ચલાવે છે બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકો ના ટોળા ઉમટી પડેલ આ ધટના ની જાણ થતા ટાઉન પી આઈ ચોધરી સહીત પોલીસ કાફલો ધટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે આ ધટના પગલે પોલીસે આરોપીઓ ને ઝડપી લેવો ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે મોડી રાત્રે સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. આ ધટના ખૂણા ગુન્હામાં પરિણમી છે. તેમજ અમીન ઇબ્રાહિમભાઈ દલ સહિત બે અજાણ્યા શખસો વિરૂદ્ધ પોલિસ ફરિયાદ થવા પામી છે.

Previous articleશહેર અને જિલ્લામાં ગુરૂનાનક દેવની પપ૧મી જન્મ જયંતિની સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી
Next articleગૌરીશંકર સરોવરમાં તંત્ર દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું