તળાજાના બોરડા ગામે ટ્રાફિક જાગૃતિ સેમીનાર યોજાયો

387

તળાજા તાલુકાના બોરડા ગામે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ના નિમત્રણ દ્વારા ટ્રાફિક જાગૃતિ સેમીનાર યોજાયો જેમા મહુવાના ડીવાયએસપી જાડેજા ભાવનગર ટ્રાફિક પીએસઆઇ લોક સાહિત્યકાર માયાભાઈ અને વક્તા તરીકે ટ્રાફિક ટ્રેનર ડો. અજયશિંહ જાડેજા ગામ પંચાયત ના સરપંચ રાજુભાઈ ભંમર કુંડવી ગામ પંચાયત ના સરપંચ સભ્યો અને વેપારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માયાભાઈ એ જણાવ્યું હતું કે બોરડા ગામ મહુવા ભાવનગર હાઈવે ઉપર આવેલ છે માર્ગ ઉપર અકસ્માત કેમ ઓછા થાઈ તે માટે માર્ગ દર્શન આપ્યુ હતું ડીવાયએસપી મહુવા તાલુકાના અકસ્માત ના આકડા આપી માર્ગદર્શન આપ્યું હતું ટ્રાફિક પીએસઆઇ જિલ્લા ના અકસ્માત ના આકડા આપી માર્ગદર્શન આપ્યું હતું ડો. અજય શિંહ જાડેજા એ સમગ્ર કાર્યક્રમ મા અકસ્માત નિવારવા ડેમો બતાવી માર્ગદર્શન આપી જાગરુત કર્યા હતા અને આવેલ પોલીસ અધિકારીનુ માયાભાઈએ સન્માન કર્યું હતું

Previous articleભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર રોડની હાલત અતિશય બિસ્માર
Next articleભાવનગરમાં રહિશોએ જાતે ૧૦૦થી વધુ દબાણો દૂર કર્યા