તળાજા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈની અધ્યક્ષતામા સુશાસન દિવસની ઉજવણી કરાઇ

414

ભાવનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ પૂર્વ વડાપ્રધાન શ્રી ભારતરત્ન અટલબિહારી બાજપાઈજીના જન્મદિવસ નિમિતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમનું જિલ્લા કક્ષાનું આયોજન પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તળાજા એ.પી.એમ.સી. ખાતે યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી અટલબિહારી બાજપાઈજીને શ્રધ્ધાંજલી અર્પણ કરતા મંત્રી કુંવરજીભાઈ એ જણાવ્યું હતું કે અટલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સુશાસનની સુવાસ ફેલાયેલી. આજે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ખેડૂતો સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. દેશમાં કૃષિની સાથે સાથે તેના સંલગ્ન ક્ષેત્રમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેમાં ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીએ આગવી ઓળખ મેળવી છે.સરકાર ખેડૂતોની પડખે છે અને સતત ખેડૂતોની ચિંતા કરી રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભૂતકાળમાં કિસાનોને ૧૬ ટકા થી વધુ વ્યાજે જે ધિરાણ મળતું તે હવે ઝીરો ટકા વ્યાજે મળતું થયું છે. કૃષિ મહોત્સવ, પાકના પોષણક્ષમ ભાવો, સુધારેલી બાગાયત ખેતી, પાક વીમો તથા પાક ધીરાણના કારણે રાજ્યના કૃષિક્ષેત્રનો ખુબ વિકાસ થયો છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વખતે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની સહાય ખેડૂતોને ચુકવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૩,૭૦૦ કરોડનું ખાસ કૃષિ સહાય પેકેજ જાહેર કરી સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે.આ પ્રસંગે મંત્રીએ ઉપસ્થિત સૌ કોઈને કૃષિ તેમજ પશુપાલનને લગતી વિવિધ યોજનાઓ જેવી કે સાત પગલાં ખેડૂત કલ્યાણના, મોબાઈલ પશુ દવાખાના, કૃત્રિમ બીજદાન તેમજ ઇ-સેવાસેતુ વગેરે યોજનાઓ વિશે માહિતી પૂરી પાડી હતી.આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા નવી દિલ્હીથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારતભરના કુલ ૯ કરોડ ખેડૂત ખાતેદારોના ખાતામાં ડ્ઢમ્‌ના માધ્યમથી અંદાજે કુલ રૂ.૧૮ હજાર કરોડ જમા કરાવ્યા હતાં. તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હીથી તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના કિસાનો સાથે સંવાદ કરીને પ્રેરક સંબોધન કર્યું હતું.વડાપ્રધાનએ દેશના ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ડિજીટલ બટન દબાવીને ’કિસાન સન્માન નિધિ યોજના’ હેઠળ રૂ.૧૮ હજાર કરોડની રકમ જમા કરી હતી.

Previous articleભાવનગરથી ટ્રેન દ્વારા ભરૂચ માટે ૩૯૪૪ ટન કોલસા મોકલાયા
Next articleસમુહ પ્રાર્થના સાથે નાતાલની ઉજવણી