રેલવે દ્વારા રસ્તો બંધ કરતા કોંગ્રેસ પક્ષે ડી.આર.એમને આવેદન પાઠવ્યું

370

ભાવનગર શહેરના હાદાનગર સ્નેહમિલન સોસાયટી , કુંભારવાડામાં રેલવે તંત્રએ રસ્તો બંધ કરી દેતા રહીશોની અગવડતા વધી છે , આ મામલે કોંગ્રેસના કાર્યકરો રહીશોને સાથે રાખીને ડીઆરએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું . શહેરના હાદાનગરમાં થઈને રાજકોટ રોડ ઉપર જે રસ્તા ઉપરથી લોકો ચાલે છે , તે રેલવે પ્રશાસન દ્વારા વારંવાર બંધ કરી દેવામાં આવે છે . રેલવેમાં ત્રણ શાળાઓ , એક બેન્ક , પોસ્ટ ઓફીસ છે , આ રસ્તો બંધ થવાથી ત્રણથી ચાર કિલો મીટરનું અંતર વધી જાય છે . આ વિસ્તારમાં આર્થીક રીતે પછાત વર્ગના લોકો રહે છે , જેઓને રીક્ષા ભાડું કે અન્ય વાહન બાંધીને જવું મોંઘું પડે છે . ૧૦૮ જઈ શકે એટલો રસ્તો ખુલ્લો રાખવાની રજૂઆત કરવામાં આવી હતી . આ ઉપરાંત ભાવનગર ડીવિઝનની લોકલ ટ્રેનો બંધ છે , જેના લીધે લોકોને ભારે અગવડતા પડી રહી છે , જે ટ્રેનો ચાલું કરવાની માંગણી પણ દોહરાવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ નાં આગેવાનો જોડાયા હતા.

Previous articleડુંગળીના નિકાસ પર પ્રતિબંધ દૂર કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશી, ઓપન બજારમાં આજે ૪૦ થી ૫૦નો વધારો થયો
Next articleકોંગ્રેસ ચુંટણી ઢંઢેરા સાથે ભાજપની નિષ્ફળતા જાહેર કરતું બ્લેક પેપર પ્રસિધ્ધ કરશે : ચુંટણીની તાડામાર તૈયારીઓ