મહુવા પંથકમાં સતત પાંચમાં દિવસે ૫૮ મરઘાઓના મોત

356

મહુવા તાલુકાના વાધનગર ગામે એક સાથે ૪૫ મરઘા ના મૃત્યુ તેમજ કોટીયા ગામ મા ૬મુત્યુ ગુદરંણા ૬ મુત્યુ અને લાઈટ હાઉસ ૨.૩ અચાનક મૃત્યુ થવાથી પશુપાલન વેટરનરી ઓફિસર ડોક્ટર કનુભાઈ બલદાણીયા તેમજ પશુપાલન ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં તપાસ કરતા ટોટલ ૫૮મરઘા ના મૃત્યુ હાલત માં તેમજ ૮૦૦ જેટલા મરઘાઓ સારવાર હેઠળ બિમાર હાલતમાં મળી મા તમામ મરઘાઓ સેમ્પલ પુના લેબ ટેસ્ટીંગ માટે મોકલવા આવ્યા જોકે આમ તો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમા અનેક જિલ્લાઓમાં બર્ડ ફ્લૂ ની દહેશત દિન-પ્રતિદિન વધી રહ્યો હોય ત્યારે રોજના કેટલાય પક્ષીઓ મરી રહ્યા છે ત્યારે લોકોમાં બર્ડ ફ્લુ ની ફફડાટ જોવા મળી રહી છે ત્યારે લોકોમાં એવો પણ અવાજ જોવા મળી રહ્યો છે કે તંત્ર ક્યારે જાગશે અને મહુવા તાલુકામાં સતત પાંચ દિવસમાં ૧૦૦ ઉપર મરઘાઓ તંત્રના ચોપડે મૃત્યુ હાલતમાં મળી આવ્યા હોય આજુબાજુ ના ગામડા તેમજ મહુવા સીટી મા બર્ડ ફ્લુ દહેશત થી લોકો મા હાહાકાર ૮૦૦થી વધારે મરઘાઓ બિમાર હાલત સારવાર હેઠળ પણ છે છતાં પણ તંત્ર દ્વારા પોલ્ટ્રી ફાર્મ તેમજ મરઘા વેચાણની ખાણીપીણી કે નોનવેઝ હોટેલમાં કોઈપણ રોક એક્શન હજી સુધી જોવા મળ્યા નથી શું તંત્રને બર્ડ ફ્લુનો કોઈભય નથી પક્ષીઓમાં થી માણસો સુધી પહોંચશે ત્યારે કઈ દિશા દોડશે એની રાહ જોઈ રહ્યું છે

Previous articleસિહોરના વરલ ગામે રમતા-રમતા ગુમ થયેલી માસુમ બાળકીનો ધરામાંથી મૃતદેહ મળ્યો
Next articleતળાજાના દરિયામાં અજાણી વ્યકિત કે બોટ દેખાઈ તો પોલીસને જાણ કરવા અપીલ