સિહોરના ખાડિયા વિસ્તારમાં પ્રવેશ દ્વારના રોડની હાલત અતી બિસ્માર

273

સિહોરના ખાડિયા વિસ્તારમાં જે વિસ્તાર નું પ્રવેશ દવારા ગણાય ત્યાં રોડ ની દયનિય હાલત.પંચમુખા કોમ્પ્લેક્ષથી અક્ષરપાર્કના ખૂણા સુધીનો રોડ કે જેની અંદર લોખંડ ના સળીયા બહાર નિકળી ગયા છે રોડ હોય તેવું નામો નિશાન નથી.જયારે આ વૉર્ડ ના કોર્પોરેટર આ રસ્તા પર આખો દિવસ આંટા ફેરા મારતા હોય છતાં નજર માં આ રોડ આવતો નથી.અનેક રજુઆત કરી તયારે એક જ જવાબ કે આ રોડ લઇ લીધો છે થોડા દિવસ માં કામ ચાલુ થશે. એ વાતો ને પણ વર્ષ વિતું ગયું..કોર્પોરેટર આવે મીઠી વાતો કરી આશ્વાસન આપી જતા રહે..મગરમચ્છ ની પીઠ સમાન આ રોડ ની અવદશા છે .માટે આરોડ નું કામ વહેલી તકે ચાલુ નહીં થાય તો આવનાર દિવસો માં ઉગ્ર રજુઆત કરવામાં આવશે.

Previous articleઅંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાયું
Next articleભાવનગરમાં કેમીસ્ટ એસો. દ્વારા ચૂંટણી યોજાઈ