અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાયું

291

૨૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૮૦મી વાર અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૦૬ને શનિવારનાં રોજ શ્રી અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે સવારે ૧૧ઃ૦૦ કલાકે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.અતિથિવિશેષ પદે શ્રી મિનાક્ષીબેન ભટ્ટ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખશ્રી લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ આ વખતની અનાજકીટના દાતા મંજીલ કુમુદચંદ્ર દેસાઈ(કેનેડા)નો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે.

Previous articleસમરસ હોસ્ટેલના એક રૃમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને રહેવાની મંજૂરી નહિ
Next articleસિહોરના ખાડિયા વિસ્તારમાં પ્રવેશ દ્વારના રોડની હાલત અતી બિસ્માર