છ કરોડ કર્મચારીઓને રાહતઃ EPFOએ વ્યાજદર યથાવત્‌ રાખ્યો

744

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મળેલી બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકળો ચાલતી હતી કે કોરોનાને કારણે વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે. જો કે આજે સરકારે ૬ કરોડ પીએફ ધારકોને રાહત આપી છે. જો કે આજે મળેલી બેઠકમાં નોકરીયાત વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. કેમ કે હવે તેમને ૮.૫ના દરે વ્યાજ મળતુ રહેશે. જેનાથી EPFOના અંદાજે ૬ કરોડ લોકોને રાહત મળશે.
તમને જણાવી દઈએ કે ઁહ્લ વ્યાજ દરને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે કોરોના વાઈરસના કારણે લોકોએ કરેલા વધારે ઉપાડ અને જમા રાશીમાં થયેલા ઘટાડાને કારણે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. EPFOએ ૨૦૨૦-૨૧ માટે EPFO ડિપોજિટ પર વ્યાજના દરોને ૮.૫ ટકા ફિક્સ નક્કી કર્યા છે. નોંધનિય છે તે આજે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ટ્રસ્ટીઓની બેઠક શ્રીનગર ખાતે મળી હતી. જેમા વ્યાજ અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે.નાણાકીય વર્ષ ૨૦૨૦માં EPFO પર ૮.૫ ટકા વ્યાજ મળતુ હતું, જો કે ૭ વર્ષમાં સૌથી ઓછુ વ્યાજ છે. આ પહેલા વર્ષ ૨૦૧૩માં EPFO પર વ્યાજ ૮.૫ ટકા હતું. ગયા વર્ષે માર્ચમાં EPFOએ વ્યાજને રિવાઈઝ કર્યું હતું. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૯માં EPFO પર ૮.૬૫ ટકા વ્યાજ મળતુ હતું. EPFOએ નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૮.૫૫ ટકા વ્યાજ આપ્યું હતું.
જે આ પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૬માં ૮.૮ ટકા હતુ. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૮.૭૫ ટકા હતું. EPFOના દેશભરમાં ૬ કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦માં પણ આ કરોડો લોકોને દ્ભરૂઝ્રમાં થયેલી ગડબડીના કારણે વ્યાજ મળવામાં વિલંબ થયો હતો.

Previous articleભાજપનો મોટો દાવઃ કેરળમાં મેટ્રો મેન શ્રીધરન હશે મુખ્યમંત્રીના ઉમેદવાર
Next articleખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપ સાંસદ રાજીનામું આપશેઃ રાકેશ ટિકૈત