આજથી ચાર મહાનગરોમાં રાત્રે ૧૦થી સવારના ૬ સુધી કર્ફ્યૂ

912

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૬
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દિવસે ને દિવસે વધી રહેલા કોરોનાના પગલે રાત્રી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, સૂરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયનો અમલ આવતી કાલથી અમલી બનશે. કોરોનાના કેસ વધતા અગાઉ ૨ કલાક માટે આપવામાં આવેલી છુટછાટ પાછી ખેંચવામાં આવી છે.
રાજ્ય સરકારે આવતી કાલ તા.૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર ૧૬ માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધીની વ્યવસ્થામાં યથાવત રાખી છે.
અગાઉ ૨ કલાકની આપવામાં આવેલી છુટ પાછી ખેંચીને નવો નિર્ણય લેતા આવતીકાલે તારીખ ૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરોમાં કરફ્યૂનો સમય વધારીને ૧૦ થી ૬ કરાયો છે. માટે આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે છે. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર ૧૬ માર્ચ સુધી રાત્રિ કરફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે કમનસીબે કોરોનાનાં કેસો વધ્યા છે. નીતિન પટેલે કહ્યું કે, કમનસીબે રાજ્યમાં કોરોનાનાં કેસો વધ્યા છે. આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ સ્વીકાર કર્યો કે છ રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં વધારો થયો છે. આ ઉપરાંત તેઓએ કબૂલ્યું કે કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોરોના વાયરસના કેસો વધતાં સરકાર ચિંતિંત છે. અને યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે, આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકારની સાથે જનતાએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરાવવું જોઈએ. અને જનતાએ પણ સમજવું જોઈએ કે ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ.
આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે ૮ વિસ્તારમાં રાતે ૧૦ વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના ૧૦ વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

Previous articleરાણપુરમાં મોલેસલામ ગરાસીયા દરબાર સમાજના યુવાનોએ ૭૨.૪૦૧ રૂપિયાનો ફાળો એકત્ર કર્યો
Next articleમોટા ઈન્ફ્રા પ્રોજેક્ટસને ફંડ આપવા નવી નેશનલ બેંક ઊભી કરવા નિર્ણય