સ્મશાનોમાં આરએસએસ સહિત સેવાભાવી યુવાનોની સરાહનીય કામગીરી

607

છેલ્લા એક મહિનાથી કોરોના મહામારીએ માઝા મુકી છે કોરોના સંક્રમિત કો-મોરબીટ દર્દીઓના ભાવનગર શહેર અને જિલ્લામાં અસંખ્ય મૃત્યુ થઈ રહ્યા છે ભાવનગર શહેરના સમશાનોમાં છેલ્લા એક સપ્તાહથી જોઈએ તો સરેરાશ ૫૦ જેટલા લોકોના કો-મોરબીટથી થયેલા મૃત્યુના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે પરિવારજનો પણ પોતાના સ્વજનોના મૃતદેહથી દુર રહે છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સહિત સેવાભાવી યુવાનો સમશાનોમાં આવા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા સહિતની સરાહનીય કામગીરી કરી રહ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહથી સ્મશાનોમાં મૃતદેહોની સંખ્યામાં ભારે વધારો થયો હોય સેવાભાવી યુવાનો રાતદિવસ જોયા વિના કે પોતાની જાતની પરવાહ કર્યા વિના સમશાનોમાં સેવા આપી રહ્યા છે જે કાબીલેદાદ છે.

Previous articleસર ટી.માં મશીન ખરીદવા માટે સાંસદ વિકાસ ગ્રાન્ટની ફાળવણી
Next articleભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ જેલ સહાયક પર હુમલો કર્યો