કથાકાર મોરારિબાપુ દ્વારા રાજ્યની પ્રજાને કોરોના વેક્સિન લેવા સલાહ

787

ગુજરાત રાજ્યમાં અત્યારે ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણની કામગીરી ચાલી રહી છે અને તા. ૧ લી મે થી ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ થવાં જઇ રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત રામાયણી સંત મોરારી બાપુએ કોરોનામાં રસીકરણ કરાવવાં માટે અપીલ કરતો વિડીયો મેસેજ આપ્યો છે. જે અક્ષરસઃ નીચે મુજબ છે.
ગુજરાતના આપણાં સૌ ભાઇઓ-બહેનો આપણે બધાં જ જાણીએ છીએ કે, કોરોનાનો આ બીજો હુમલો વધારે વિકરાળ અને ચિંતાજનક છે. સમજદાર લોકો- અભ્યાસુ લોકો જેમણે અધ્યયન કરીને આ હુમલાને ખાળવાં માટે શું- શું કરી શકાય તેનો વિચાર કર્યો છે. તેવાં બધા જ નિષ્ણાંત લોકોનું જે માનવું છે. એ પ્રમાણે આપણે વર્તવું રહ્યું.
મેં એક વેક્સિન ૯ માર્ચના દિવસે લઈ લીધેલી અને બીજી વેક્સીન કાલે મારા ગામ તલગાજરડામાં અહીંના હેલ્થ સેન્ટરમાં લઇ લીધી છે. મારે આપણાં સમાજને એટલું કહેવાનું છે કે, આપણાં સ્વ નું અને આપણી સાથે જોડાયેલાં સર્વેનું આપણે શુભ ઈચ્છતા હોઇએ. સૌના આરોગ્ય માટે આપણાં મનમાં પીડા હોય, તો ચાર વસ્તુ બહુ જ સ્વયંશિસ્ત પ્રમાણે કરો.. એક તો માસ્ક, બીજું સેનિટાઇઝર, ત્રીજું સોશિયલ ડિસ્ટન્સ અને ચોથું જેનો વારો આવે…એ વારો આવતાં ક્રમશઃ વેક્સિન લઈ લે.
મારા અનુભવમાં વેક્સિનથી કોઈ નુકસાન તો નથી પરંતુ હાશરીર દુઃખે, એકાદ દિવસ માથું દુઃખે પણ અભ્યાસુ અને એ પણ કોઈ કોઈને બાકી કોઇને કશું થતું જોયું નથી. અને એ પણ એટલાં માટે થાય છે કે, આ વેક્સિનના લીધે આપણામાં કોરોનાની સંક્રમણતાને રોકવાની ગજબ શક્તિ આવે છે. આપણે તેની સામે ફાઇટ કરી શકીએ છીએ. તેટલે જ કોઈપણ અફવાઓમાં માન્યાં વિના એક સાધુ તરીકે આપને વિનયપૂર્વકની અપીલ કે, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, વેક્સિન સમય પર લઈએ અને સતત સેનિટાઇઝરનો આગ્રહ રાખીએ.

Previous articleભાવનગરમાં રવિવારથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન અપાશે
Next articleસત્યમેવ જયતે ગૃપના સભ્યોએ ૧૨,૦૦૦ નો ફાળો એકઠો કરી માનવસેવા સમિતીને અર્પણ કર્યો