હૈદરાબાદ ઝૂમાં ૮ એશિયાટિક સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

424

(સં. સ. સે.) હૈદરાબાદ, તા. ૪
હવે કોરોના માણસોમાંથી પ્રાણીઓમાં પણ ફેલાઈ રહ્યો છે. દેશમાં નોંધાયેલા સૌપ્રથમ કેસમાં હૈદરાબાદના નેહરુ ઝુલોજિકલ પાર્કમાં રખાયેલા આઠ એશિયાટિક સિંહોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઝૂના સંચાલકો પણ ચોંકી ઉઠ્‌યા છે. સૂત્રોનું માનીએ તો, ૨૯ એપ્રિલે આઠેય સિંહોનો આરટી-પીસીઆ રિપોર્ટ પોઝિટિવ હોવાનું કન્ફર્મ થયું હતું.
ઝુના ક્યૂરેટર અને ડિરેક્ટર ડૉ. સિદ્ધાનંદન કુકરેટીએ આ બાબતનું ના તો સમર્થન કર્યું હતું, કે ના તો તેને માનવાનો ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સિંહોમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા. જોકે, તેમનો રિપોર્ટ હજુ ઝુને મળ્યો નથી, જેથી હાલ તેને જોયા વિના પોતે કંઈ કહી ના શકે તેમ તેમણે જણાવ્યું હતું. હાલ તમામ સિંહોની તબિયત સારી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હૈદરાબાદના ઝૂમાં કામ કરતાં પશુઓના ડૉક્ટરોને સિંહોમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા. આ સિંહો અશાંત લાગી રહ્યા હતા, તેમના નાકમાંથી સતત પ્રવાહી નીકળી રહ્યું હતું, અને તેમને ઉધરસ આવી રહી હતી. ૪૦ એકરના સફારી એરિયામાં દસેક વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા ૧૨ સિંહો અહીં રાખવામાં આવ્યા છે. જેમાંથી ચાર માદા અને ચાર નરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સિંહોનું વર્તન અજૂગતું લાગતા તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ કરવાનું નક્કી કરાયું હતું. તેમના ગળાના હાડકાં પાસેથી સ્વેબ સેમ્પલ લેવાયા હતા. સિંહોના સેમ્પલનું જેનોમ સિક્વન્સિંગ કરવાની પણ તૈયારી ચાલી રહી છે. જેનાથી સિંહોને માણસમાંથી આ વાયરસનો ચેપ લાગ્યો કે કેમ તે જાણી શકાશે.
હૈદરાબાદના વાઈલ્ડલાઈફ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરના ડિરેક્ટર ડૉ. શિરિષ ઉપાધ્યેએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ન્યૂયોર્કના ઝૂમાં રખાયેલા આઠ વાઘ અને

Previous articleલોકડાઉનના સમયમાં શાળાઓ પુરી ફી વસુલી ન શકેઃ સુપ્રીમ કોર્ટ
Next articleશહેરમાં મીઠાઈના વેપારી પાસે ખંડણી માગનારા ત્રણ શખ્સો ઝડપાયા, ઘટના CCTVમાં કેદ