મહુવા એ.પી.એમ.સી ખાતે કેબિનેટ મંત્રીએ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજી

666

ભાવનગર જિલ્લાનાં એક દિવસીય પ્રવાસે આવેલ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બારૈયાએ ભાવનગર જિલ્લાનાં મહુવા એ.પી.એમ.સી. ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં આવેલ ડેમો અંગે તેમજ તેના સમારકામની કામગીરી હેઠળના ભાગો વિશે તથા આગામી દિવસોમાં વરસાદના પાણી અંગે ઉદભવતી સમસ્યાઓના નિરાકરણ વિશે જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.આ બેઠકમાં મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણા, ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકારણી તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગરમાં સૌ-પ્રથમ વખત શૈક્ષણિક સંસ્થા દ્વારા કોરોના રસી કેમ્પનું આયોજન કરાયું
Next articleભાવનગરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં MPHW&FHW વર્ગ-૩ ની તત્કાળ ભરતી કરવા માંગ