સલામત સવારી પળોજણ પ્રજાની….!

596

સુરક્ષિત પરિવહન માટે સરકારી તંત્ર એસ.ટીની તરફેણ કરે છે પરંતુ આ એસ.ટીમાં ધારાસભ્યો સાંસદો કે સરકારી અમલદારો નિયમિત મુસાફરી કરે તો ખ્યાલ આવે કે આ સલામત સવારી એસ.ટી અમારી કેટલા અંશે સુરક્ષિત અને સલામત છે વર્ષે દહાડે લાખ્ખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતું એસ.ટી નિગમ છતાં પ્રજા માટે મુશ્કેલીની પળોજણ યથાવત રહે છે ભાવનગર શહેરના નિલમબાગ સર્કલ પાસે બેટરી ડાઉન થયેલી બંધ મિની એસ.ટી બસને શરૂ કરવા મુસાફરોને ઉતારી ધક્કા લગાવવા પડ્યાં હતાં ત્યારે રાહદારીઓ પણ વિચાર કરી રહ્યા હતા કે શું આજ છે સરકારની સલામત સવારી એસ.ટી અમારી.

Previous articleભાવનગરના તળાજા, મહુવા, જેસર તાલુકામાં પિયતની સગવડ ધરાવતાં ખેડૂતોએ ખરીફ પાકોનું આગોતરા વાવેતરના શ્રીગણેશ કર્યા
Next articleવલ્લભીપુર-ધંધુકા હાઈવે પર ટેન્કર-જીપ વચ્ચે જોરદાર ટક્કર થઇ, કોઇ જાનહાની નહી