કુંભારવાડામાં પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જતા દુષીત પાણીથી લોકો ત્રસ્ત

239

શહેરના કુંભારવાડા વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો હોય અને પ્રજાના સેવકો સ્થાનિકોને કોગ્રેસના મતદારો ગણાવી સમસ્યા ઉકેલ ના બદલે હડધૂત કરતાં લોકો માં પ્રચંડ રોષ ફેલાયો છે. ભાવનગર શહેર ના પછાત વિસ્તાર તરીકે પ્રચલિત કુંભારવાડા વિસ્તારમાં બારેમાસ લોકો ના પાયાકીય સવલતો ને લગતાં પ્રશ્નો સળગતા જ રીહે છે જેનું એકમાત્ર કારણ રાજકીય ઈચ્છા શક્તિ નો સદંતર અભાવ તંત્ર દ્વારા કરવામાં આવતી કાયમી ધોરણની અપેક્ષા જ ખરૂં તથ્ય છે ત્યારે છેલ્લા છ એક માસથી કુંભારવાડા વિસ્તારમાં ખાર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ અપનાનગરમાં પીવાના પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જતાં રહેણાંકી વિસ્તારોમાં દૂષિત દુર્ગંધયુક્ત ગંદા પાણી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ સમસ્યા ને લઈને સ્થાનિકોએ કોર્પોરેટરો તથા નગરસેવિકા ને ફરિયાદ કરી હતી તે વેળાએ લાજવાને બદલે ગાજેલા લોક પ્રતિનિધિ ઓએ ગંદુ રાજકારણ માંડ્યુ હતું ફરિયાદ કરવા આવેલાઓ ને જણાવ્યું હતું કે અપનાનગર વિસ્તારમાં રહેતા લોકો એ ભાજપને મત આપ્યાં નથી તમે લોકો પ્યોર અને શ્યોર કોંગ્રેસીઓ છો આથી રજૂઆત પણ કોંગ્રેસના હોદ્દેદારો ને જ કરો…! એ લોકો તમારી સમસ્યા ઉકેલશે આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી હડધૂત કર્યા હતા આવાં પછાત વિસ્તારમાં મત અને પક્ષા-પક્ષીના રાજકારણ ને પગલે પીવાનાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત ને લઈને લોકો ને વલખાં મારવા ની નોબત આવી છે હવે પ્રજાએ જ ચૂંટી કાઢેલા પ્રતિનિધિ ઓ આવો પક્ષપાત કરે ત્યારે રજૂઆત કયાં કરવાની રાવ લઈને કોની પાસે જવું એવાં સવાલો લોકો કરી રહ્યા છે અને જણાવે છે શું…? અમે ગરીબ અને પછાત વર્ગના લોકો છીએ એ જ અમારો અપરાધ….?!!!

Previous articleભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં તળાજા, અલંગ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો
Next articleશહેરમાં જૂની અદાવતે પિતા-પુત્રો પર હિચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી