દિવાનપરા રોડ પર આવેલા વાસુદેવ ઔદિચ્ય વેદશાળા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાશે

840

વાસુદેવ દિમ વેદશાળાની સ્થાપના ઈ.સ.૧૯૦૬ ના રોજ થઇ હતી અને છેલ્લા ૧૧૬ વર્ષથી સતત કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિધાથીઓને વિનામુલ્ય શાસ્ત્રો તથા કર્મકાંડની શિક્ષા આપવામાં આવે છે જેના દ્વારા બ્રાહ્મણોને પામીક કાર્યો માટે તૈયાર કરવામા આવે છે, શ્રી વાસુદેવ ઔદિચ્ય વેદશાળા દ્વારા અષાઢી પૂનમ તા.૨૩/૭ ને શુક્રવારે સાંજના ૫ઃ૩૦ કલાકે ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરેલ છે, ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓણખવામાં આવે છે, આ ટિ્‌વસને વેદ વ્યાસની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમમાં આદી ગુરુ શ્રી શંકરાચાર્યજીની શાસ્ત્રોકત રીતે પૂજન વિધી કરવામાં આવશે તથા તજજ્ઞો દ્વારા ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે વ્યકતવ્ય આપવામાં આવશે, આ પ્રસંગે સૌ ભાવીકો ને દર્શનનો લાભ લેવા સમગ્ર ટ્રસ્ટીગણ તરફથી અનુરોધ કરાયો છે, આ કાર્યક્રમનું આયોજન શ્રી વાસુદેવ ઔદિચ્ય વેદશાળા, દાંતીયાવાળી શેરી, દિવાનપરા રોડ, ભાવનગર ખાતે સાંજના ૫ઃ૩૦ કલાકે કરવામાં આવ્યું છે.

Previous articleકોરોનાને હરાવી રિષભ પંત ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો
Next articleપરસોતમભાઇની ઉપસ્થિતિમાં કોળીસેનાના હોદ્દેદારોની વરણી