સગર્ભા અવસ્થામાં પણ દિવસ-રાત કોરોના દર્દીઓની સારવાર કરનાર ફીમેલ હેલ્થ વર્કર હંસાબેન પરમાર ખરા કોરોના યોધ્ધા

243

ભાવનગર, તા.૨૬
કોરોનાની બીજી લહેરનાં એપ્રિલ માસથી શરૂ થયેલ આ લહેરમાં રાજ્યભરમાં કોરોનાના કેસમાં ખૂબ મોટો વધારો થયો હતો. આ અંતર્ગત ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને શિહોર તાલુકામાં કોરોના કિસ્સાઓમાં ખૂબ મોટો વધારો થયો હતો. તેમાં પીપળીયા ગામમાં ૨૨ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ જોવાં મળ્યાં હતાં.હંસાબેન પરમાર દ્વારા આ દરમિયાન કોરોના ભય પર વચ્ચે પણ સતત સેમ્પલો લેવડાવવા તેમજ પોઝિટિવ દર્દીઓ આવે તરત જ તે પરિવાર, વિસ્તારનું સઘન સર્વેલન્સ અને દર્દીની સતત દેખરેખ રાખવામાં પ્રવૃત્ત રહ્યાં હતાં. જે સમયે હંસાબેન પરમાર ૬ માસ સગર્ભા હોવાં છતાં કોઈપણ બહાનાબાજી કે કામચોરી કર્યા વગર સતત કાર્યરત રહ્યા હતાં. આ રીતે સતત કોરોના દર્દીઓ વચ્ચે રહેવાથી તેમની તબિયત બગડતાં તા.૧૬-૪-૨૦૨૧ ના રોજ આર.ટી.ડી. રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યાં. ત્યારબાદ તા.૨૨-૪-૨૦૨૧ સુધી ભાવનગર સારવાર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વાંકાણીએ સૂચવેલ સારવાર લીધી હતી.
છતાં તેને સારવાર દરમ્યાન શ્વાસની તકલીફ લાગતાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આવેલ ત્યાં ડો.યાદવ, ડો.રૂબીના દ્વારા સારવાર કરવા છતાં તબિયતમાં સુધારો નહીં જણાતા તેમને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.જ્યાં બે દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા પરંતુ તબિયત વધુ બગડતા તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યાં હતાં. ખૂબ જ ગંભીર આ પરિસ્થિતિમાં તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હતાં.તેઓ કહે છે કે, આ પરિસ્થિતિમાં તેમની આજુબાજુના બેડામાં દરરોજ મૃત્યુ થતાં હતાં. માહોલ બહુ ગંભીર હતો. પરંતુ ટકી જવાની જીજીવિષા મનમાં હતી. તેથી કોઈપણ પરિસ્થિતિમાં મક્કમ રહેવું છે તેવું મન બનાવી કોરોનાનો મુકાબલો કરતાં રહ્યાં. કોરોના પોઝિટિવ બન્યાં ત્યારથી મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝરની રીફર સુધીની સતત મદદ અને આઈ.સી.યુ.માં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એન.સી.વેકરીયા, ડો.તાવીયાડ નું સતત મોનીટરીંગ, સારવાર, સલાહ પરિણામ સ્વરૂપે ગંભીર અવસ્થામાંથી પાર ઉતર્યા. તમામ સ્ટાફનો સહયોગ અને ફિમેલ હેલ્થ વર્કર હંસાબેન પરમારનું દૃઢ મનોબળ, આત્મવિશ્વાસ સમયસરની સારવાર આશીર્વાદરૂપ નીવડી. કોરોનામાંથી સાંગોપાંગ બહાર આવ્યાં બાદ તેઓએ તા.૨૨-૭-૨૦૨૧ના રોજ સિહોર કષ્ટભંજન હોસ્પિટલોમાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

Previous articleપ્રદેશ કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેનની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ
Next articleબોટાદ જિલ્લાના સાકરડી ગામે કોળી સમાજની ચિંતન શિબિર યોજાઈ