જોનસન એન્ડ જોનસને ભારતમાં સિંગલ ડોઝ વેક્સિનની મંજૂરી માંગી

260

ન્યુ દિલ્હી,તા.૬
યુએસ ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસને તેની સિંગલ ડોઝ કોવિડ-૧૯ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ભારત સરકાર પાસેથી મંજૂરી માંગી છે. કંપનીએ રસીના ઉપયોગ માટે શુક્રવારે અરજી કરી છે. જોનસન એન્ડ જોનસને અગાઉ એપ્રિલમાં ભારતમાં તેની રસીની અજમાયશ માટે અરજી કરી હતી. જે આ સપ્તાહે કંપની દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી. સોમવારે, ભારતીય ડ્રગ રેગ્યુલેટરએ કહ્યું કે જોનસન એન્ડ જોનસને કોઈ કારણ જણાવ્યા વગર દેશમાં તેની કોવિડ રસી મંજૂર કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો. ચાર દિવસ પછી, હવે કંપનીએ રસીના તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી માંગી છે. ભારતમાં રસીના ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાના ઉદ્દેશ સાથે જોનસન એન્ડ જોનસને એપ્રિલમાં કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો હતો. જો કે, નવા નિયમો અનુસાર, યુએસ ડ્રગ રેગ્યુલેટર દ્વારા ભારતમાં રસીની અજમાયશ માટે રસીની મંજૂરી ફરજિયાત નથી, જેના કારણે જોનસન એન્ડ જોનસનની રસીને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે.
કોરોના રસી અંગે જોનસન એન્ડ જોનસને દાવો કર્યો હતો કે તેની રસી કોરોના સામે ૮૫ ટકા અસરકારક છે. જૂનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જોનસન એન્ડ જોનસનની કોરોના વાયરસ રસીની પ્રથમ બેચ જુલાઈ સુધીમાં ભારતમાં આવી શકે છે. જો કે, આવું થયું નથી અને ઓગસ્ટમાં પણ આ રસી મળવાની કોઈ આશા નથી. ભારતે અત્યાર સુધીમાં ચાર રસીઓને મંજૂરી આપી છે. આમાં એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડની કોવિશિલ્ડ રસીનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આ પછી, ભારતમાં જ તૈયાર કરાયેલ ભારત બાયોટેકની કો વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Previous articleપૂર્વી લદાખના ગોગરા વિસ્તારમાંથી પાછળ હટી ભારત-ચીનની સેના
Next articleફ્યુચર-રિલાયન્સના મર્જર પર રોકઃ એમેઝોનની સુપ્રિમમાં જીત