ભાવનગર પરા રેલવે સ્ટેશન પર “સંત નિરંકારી મિશન” દ્વારા કરવામાં આવેલ વૃક્ષારોપણ

603

ભાવનગર પરા રેલવે સ્ટેશન પર ભાવનગર રેલવે મંડલના અધિકારીઓની હાજરીમાં “સંત નિરંકારી મિશન” દ્વારા ૨૧ ઓગસ્ટ, ૨૦૨૧ (શનિવાર) ના રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ૧૫૦ વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ થી પર્યાવરણને હર્યુભર્યુ રાખવામાં મદદરૂપ સાબિત થશે. “સંત નિરંકારી મિશન” છેલ્લા ઘણા સમયથી પર્યાવરણને હરિયાળું રાખવામાં મદદ કરી રહ્યું છે. આ મિશનના કાર્યકરો હંમેશા અન્યની મદદ કરવા માટે તત્પર રહે છે. સંત નિરંકારી મિશન વતી શ્રી દામોદરદાસ ચુગાણી (મિશન પ્રમુખ-ભાવનગર), દાસી પ્રસાદ (સેવા દળ સંચાલક), મિશનની કામ કરતી મહિલાઓ અને પ્રાથમિક શાળાના બાળકોએ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લીધો હતો.
ભાવનગર રેલવે તરફથી સુનીલ આર. બારાપાત્રે (એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર), માશૂક અહમદ (સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર), નિલાદેવી ઝાલા (આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર), ઘનશ્યામ સિંહ (આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર), એમ. એમ. રાઠોડ (સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ) અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

Previous articleભાવનગર શહેરના વાઘવાડી રોડ પર રોટરેકટ ક્લબ ભાવનગર રોયલ દ્વારા વોલ પેઇન્ટિંગનું આયોજન કરાયું
Next articleસાળંગપુર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ચોકલેટનો શણગાર કરાયો