સાળંગપુર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ચોકલેટનો શણગાર કરાયો

135

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના શનિવારને લઈ આજરોજ તા.૨૧/૮/૨૦૨૧ના રોજ વિવિધ પ્રકારની ૧૦૦ જેટલી ચોકલેટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો,સ્વામી ધર્મકિશોરદાસજી, શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા), કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીએ શણગાર કરી, આરતી ઉતારવામાં આવી હતી. હનુમાજી દાદાને વિવિધ પ્રકારની ૧૦૦ જેટલી અવનવી ચોકલેટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. હનુમાનજીદાદાને ધરાવવામાં આવેલા અવનવી પ્રકારની ચોકલેટ નો શનિવાર નિમિતે ભાવિકો રૂબરૂ દર્શનનો લાભ લીધો હતો અને તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના દિવ્ય શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleભાવનગર પરા રેલવે સ્ટેશન પર “સંત નિરંકારી મિશન” દ્વારા કરવામાં આવેલ વૃક્ષારોપણ
Next articleનંદકુંવરબા મહીલા કોલેજ દ્વારા ફીટ ઇન્ડિયા-ફ્રીડમ રનનો કાર્યક્રમ યોજાયો