મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષા બાંધતા ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા

138

ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયાએ આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને રૂબરૂ જઈ રક્ષા બાંધી ગુજરાતનું યશસ્વી નેતૃત્વ હંમેશની જેમ સંભાળતા રહે તે માટેની કામના કરી હતી.તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીના હાથ નીચે ગુજરાત જે રીતે પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. ત્યારે એ હાથોને રક્ષા બાંધી આજે વધુ મજબૂત બનાવ્યાં છે. તેઓ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જાય એવી મંગલ કામના તેમણે મુખ્યમંત્રીને રક્ષા બાંધીને કરી હતી. કીર્તિબેન મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીને પણ રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

Previous articleભાવનગર જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવ્યો
Next articleજન આશીર્વાદ યાત્રાનનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત, ઝવેરચંદ મોંઘાણી ઓડિટરિયમ ખાતે સમાપન સમારંભ યોજાયો