કાળાતળાવનો યુવાન ખાડીમાં ડૂબી જતાં મોત

121

ભાવનગર ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ લાશ બહાર કાઢી પોલીસને હવાલે કરી
ભાવનગર જિલ્લાના કાળાતળાવ ગામનો એક યુવાન નિરમા કેબલ બ્રિજ નજીક ખાડીમાં ડૂબી જતાં ફાયરબ્રિગેડની ટીમે કલાકોની ભારે શોધખોળ બાદ સમુદ્રી મડ-કાંપ માથી ભારે જહેમત ના અંતે શોધીકાઢી હતી.સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ વિભાગએ જણાવ્યા અનુસાર આજરોજ ટીમને કોલ મળ્યો હતો કે કાળાતળાવ ગામે નિરમા કેબલ બ્રિજ નજીક આવેલ સમુદ્રી ખાડીમાં કાળાતળાવ ગામનો છેલાભાઈ ધૂડાભાઈ મેર ઉ.વ.૨૫ યુવાન ડૂબી ને ગુમ થયો છે જે માહિતી આધારે ફાયરફાયટરો ની ટીમ તરવૈયાઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકો સુધી સમુદ્રી મડ માં શોધખોળ બાદ યુવાનની લાશ મડ માં ખૂચેલી હાલતમાં મળી આવતાં ટીમના જવાનોએ લાશ તટ પર લાવી પોલીસને હવાલે કરતાં પોલીસે સ્થળપર પંચનામું કરી મોતનું સ્પષ્ટ કારણ જાણવા લાશને પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડી મૃતકના પરિવારોના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleપડતર માંગણીઓ ન સંતોષાતા વલ્લભીપુર તાલુકાના તલાટી મંત્રીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું
Next articleમુંખ્યમંત્રી કે મંત્રીમંડળ બદલવાથી કોરોનાથી થયેલા મોતનો સાચો આંકડો નહીં બદલાઈઃ પ્રતાપ દૂધાત