શાળા નંબર ૯૩ મા બાળકોએ વેસ્ટ કાપડમાંથી બનાવ્યા આસન

714

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર ૯૩ માં પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બાળકોને શિક્ષણની સાથે બાળકો સ્વાવલંબી બને, બાળકો જાતે કાર્ય કરી વેસ્ટમાંથી બેસ્ટ નકામી વસ્તુઓનો ઉપયોગ કરતા શીખે તેવા પાઠ શાળામાંથી શીખવવામાં આવે છે. હાલમાં જ બાળકોને ઘરમાં રહેલા નકામા કપડા માંથી બેસવા માટે ના આસન અને પગલુછણીયા બનાવવાની તાલીમ આપવામાં આવી. કહેવાય છે કે કેળવણી એટલે હાથ, મસ્તક અને હૈયું જોડાઈ ને બાળક શીખે. સાચી કેળવણી એ જ છે જેમાં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે વિવિધ ઈતર પ્રવૃતિઓ અને શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત થાય. બાળક પોતાની જાતે કાર્ય કરીને કંઈક નવું બનાવતા શીખે. એ પણ ખૂબ જરૂરી હોય છે. ખાસ કરીને તો નકામી અને ફેંકી દેવાની વસ્તુઓનો પુનઃ ઉપયોગ થાય. ખાસ કરીને તો બાળકોના મગજમાં આવાં નવતર વિચાર આવે તે હેતુથી વિનોબા ભાવે શાળા નંબર ૯૩ માં બાળકોને નવું નવું શીખવવામાં આવે છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ બાળકોને પીરસવામાં આવે છે. આવા કાર્ય શીખે તો ભવિષ્યમાં બાળક આત્મનિર્ભર પણ બની શકે અને આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાચી પડે. શાળા નંબર ત્રણમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ એ જુના કપડાની મદદથી સુંદર મજાના આસન બનાવ્યા. તેમને જુદા જુદા ગણિતના આકારો આપવામાં આવ્યા અને જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવ્યું. શાળાના આચાર્ય વનીતાબેન રાઠોડ ના માર્ગદર્શન હેઠળ હાલમાં ૧૫૦થી વધુ બાળકોએ આસન બનાવવાની પ્રવૃત્તિમાં જોડાયા. આગામી નવરાત્રી અને દિવાળી પર પણ શાળાના બાળકો શણગાર સજાવટની વસ્તુઓ પોતાના ઘર માટે નકામી વસ્તુમાંથી બનાવશે. જેમાં દિવાની સજાવટ, તોરણ તથા શણગારની માટેની વિવિધ કલાત્મક વસ્તુઓની બનાવટ શાળામાં શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ તેઓ બનાવશે. શાળામાં પર્યાવરણ માવજત માટે પણ વેસ્ટ માંથી બેસ્ટ ચીજોનો ઉપયોગ કરી પર્યાવરણ જતન થઈ રહ્યું છે. માટીના ચાના કોળિયા માંથી ક્યારાઓ બનાવવામાં આવ્યા છે.

Previous articleપાલીતાણાના યુવા પત્રકાર આરીફ શેખનો આજે જન્મદિવસ છે
Next articleનરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં વિવિધ જગ્યાએ કેમ્પ