બરવાળાના ચાલુ થઇ ગયેલા બસ સ્ટેન્ડનું આજે મંત્રી લોકાર્પણ કરશે !!

936

બરવાળા શહેરમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે જે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી પૂર્ણ થયે એક મહિના જેટલો સમય વીતી ગયો છે જે બસ સ્ટેન્ડ બન્યું ત્યારથી મુસાફરો દ્વારા ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે તેમજ નવીન બસ સ્ટેન્ડમાં બસોની અવર-જવર પણ બન્યું ત્યારથી થવા લાગી છે ત્યારે તા.૨૮/૦૨/૨૦૧૯ ના રોજ સાજે ૪-૦૦ કલાકે આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવનાર છે તેમજ સૌરભભાઈ પટેલ , ઈશ્વરસિંહ પટેલ, દેવજીભાઈ ફતેપરા , રાજેશભાઈ ગોહિલ સહીતના હોદેદારો, આગેવાનોના વરદ હસ્તે એક મહિના જેટલા સમયથી ચાલુ થઇ ગયેલા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા આગેવાનો ધક્કો ખાઈ કાર્યક્રમની ઉજવણી કરશે.

બરવાળા શહેરના નવીન બસ સ્ટેન્ડ બન્યાને એક માસ જેટલો સમય વીતી ગયો અને મુસાફરો તેમજ બસો અવર-જવર કરી બસ સ્ટેન્ડ બન્યું ત્યારથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ સમારોહ યોજી આગેવાનો ધક્કો ખાઈ ચાલુ થઇ ગયેલા નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવાના કાર્યક્રમના મુદો બરવાળામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Previous articleપાલીતાણા સરકારી હોસ્પિ.ની ૩ જુની સ્ટાફ નર્સોની જો હુકમી
Next articleદોરડા પર યોગાસન કરી સૌને મંત્રમૃગ્ધ કરતી ભાવેણાની યોગસ્ટાર હેતસ્વી સોમાણી