શિશુવિહારમાં આંગણવાડી બહેનોનો ક્રાફટ તથા બાળગીતની તાલીમ કાર્યક્રમ

654

અમરેલી જીલ્લા નાં બગસરા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો માટે ક્રાફટ તથા બાળ-ગીતની તાલીમ કાર્યક્રમ તા.૭ જાન્યુઆરી નાં રોજ બાળ કેળવણી મંદિર સંસ્થાના ઉપક્રમે યોજાય ગયો. મોંઘી બહેન બધેકા બાલમંદિર શિશુવિહાર સંસ્થાના શિક્ષક ચંન્દ્રીકા બહેન દવે, શ્રી ઉષા બહેન રાઠોડ તથા પ્રીતિ બહેન ભટ્ટએ ઉપસ્થિત રહીને ઉપસ્થિત ૬૦ આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપેલ. સમગ્ર કાર્યક્રમ નું સંકલન બાળ કેળવણી મંદિર સંસ્થાના અધ્યક્ષ દેવચંદભાઈ સાવલીયા તથા શિશુવિહાર સંસ્થાના પ્રોગ્રામ કોડિનેટર હિનાબહેન ભટ્ટ દવારા થયુ હતું.

Previous articleસ્વામી વિવેકાનંદજીની ૧૫૮મી જન્મ જયંતિની ઉજવણી કાર્યક્રમોમાં જોડાતા સ્કાઉટ-ગાઈડના બાળકો
Next articleશિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે જિલ્લાના ૬૬ શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમો એનાયત કરાયા