શક્તિધામ ભંડારિયામાં શાસ્ત્રોક્ત રીતે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ, પ્રાચીન ઢબે ઉજવણી કરાઈ

1171

બહુચરાજી મંદિરેથી માતાજીની ગરબી વાજતે ગાજતે ભૂંગળના સૂર સાથે માણેકચોકમાં પધરાવાઇ
નવરાત્રિ એટલે રાસોત્સવ તેવી માન્યતા પ્રચલિત બનતી જાય છે, પરંતુ આ દિવસો માતાજીની ભક્તિ, અનુષ્ઠાન સાથે રાત્રીજગાના છે. માતાજીની ગરબી ચોકમાં પધરાવી ફરતે ગરબા લેવા તે પ્રાચીન પરંપરા છે, જે આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિમાં જળવાઇ છે, ચોકમાં માતાજીની ગરબી પધરાવી ભક્તિ કરવા ઉપરાંત ભવાઈનો અંશ -નાટકો રમી ગ્રામ્ય કલાકારો સામાજીક સંદેશો પાઠવવાનું કામ વર્ષોથી કરતા આવ્યા છે. સાથે ધાર્મિક, ઐતિહાસિક કથાઓ વણી લેતા પાત્રો રજૂ કરી ઇતિહાસને લોકભોગ્ય બનાવાનું કાર્ય થઈ રહ્યું છે.

ભંડારિયામાં નવરાત્રિ મહોત્સવમાં દરરોજ માતાજીની ભવ્ય આરતી બાદ પ્રાચીન પરંપરા મુજબ દરરોજ રાત્રીના અહીંના શક્તિ થિયેટર્સના રંગ મંડપમાં ધાર્મિક, સામાજીક, ઐતિહાસિક નાટકો ભજવાશે. આજે બહુચરાજી મંદિરેથી માતાજીની ગરબી વાજતે ગાજતે ભૂંગળના સુર સાથે માણેકચોકમાં પધરાવાઇ હતી. આ પ્રસંગે ભાવિકોએ સામેલ થઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleભાવનગરના મેથળા ગામમાં બંધારાનો પાળો તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ, ખેડૂતોએ કરેલી મહેનત એળે ગઈ
Next articleભક્તિ તથા શક્તિના મહાપર્વ નવલાં નોરતાંનો આરંભ,પહેલાં નોરતે મંદિરોમાં ભાવિકો દર્શનાથે ઉમટ્યા