દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૯૮૧ નવા કેસ નોંધાયા

222

સમગ્ર દેશમાં કલાકમાં ૧૬૬ સંક્રમિતોના મોત થયા : તહેવારની સિઝનમાં આપણે વધુ સતર્ક રહેવું પડશે, દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે, જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે
નવી દિલ્હી , તા.૧૬
દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૯૮૧ નવા કેસ નોંધાયા છે અને ૧૬૬ સંક્રમિતોના મોત થયા છે. જ્યારે ૧૭,૮૬૧ દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨,૦૧,૬૩૨ પર પહોંચી છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં ૮૮૬૭ અને ૬૭ લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે. દેશમાં અત્યાર સુધીમાં ૯૭,૨૩,૭૭,૦૪૫ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૮,૩૬,૧૧૮ લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૫૮,૯૮,૩૫,૨૫૮ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી ૯,૨૩,૦૦૩ સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું. કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -૧૯ માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.

Previous articleBSF લોકોના ઘરોમાં ઘૂસી હેરાનગતિ કરે એવો ડરઃ રંધાવા
Next articleરાયપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટમાં છ જવાન ઘાયલ