દિવાળી પર્વ નિમિત્તે તા. 4 અને 11 નવેમ્બરના રોજ ભાવનગર અને બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

452

01 નવેમ્બર, 2021થી ટિકિટનું બુકિંગ શરૂ થશે
આગામી દિવાળી પર્વ નિમિત્તે ભાવનગર રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને દિવાળી, છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અને બાંદ્રા વચ્ચે ભાવનગર-બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (09454/09453) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09454/09453 ભાવનગર-બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ, ટ્રેન નંબર 09454 ભાવનગર–બાંદ્રા સ્પેશિયલ 04 અને 11 નવેમ્બર, 2021 (ગુરુવારે) બપોરે 14.50 વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09453 બાંદ્રા–ભાવનગર સ્પેશિયલ 05 અને 12 નવેમ્બર, 2021 (શુક્રવાર)ના રોજ 09.15 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે. આ વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09454/09453 ભાવનગર-બાંદ્રા-ભાવનગરનું બુકિંગ 01મી નવેમ્બર, 2021ના રોજ નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. તેમ વરિ.મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદએ જણાવ્યું હતું.

Previous articleબે વર્ષ પુર્વે ભાવનગરમાં મહિલાને સળગાવી હત્યા કરવાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી
Next articleભાવનગરના કાજાવદર ગામે વાડીમાં આગ લાગતાં 150 મણના મગફળીનો જથ્થો બળીને ખાક