એબીવીપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

84

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર શાખા દ્વારા ૭૩માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ જેની શરૂઆત બી.પી.ટી.આઇ. કોલેજથી થઇ ભાવનગરના રાજમાર્ગો પર ફરી સર પી.પી. ઇન્સ્ટીટ્યુટ ખાતે પૂર્ણ થઇ. રેલી દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમ્‌ જેવા નારાઓથી રાષ્ટ્રભાવના પ્રગટ કરી હતી.

Previous articleમ્યુ. પટાગંણમા મેયરના હસ્તે ધ્વજવંદન
Next articleકોર્ટ પરિસરમાં ડિસ્ટ્રીક્ટ જજના હસ્તે ધ્વજ વંદન