ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મારામારીના બે બનાવોમાં ત્રણ યુવાનોને ઈજા

342

ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 5 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મારામારીની અલગ અલગ બે ઘટનાઓ બની હતી. જેમાં ત્રણ યુવાનોને ઈજા પહોંચી છે. ત્યારે આ ઘટનાને લઈ 5 શખ્સો વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પ્રથમ બનાવમાં કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા અલ્તાફ ફીરોજ મકવાણાને આજ વિસ્તારમાં રહેતા લંમ્બુ અને અંગદ નામના શખ્સો સાથે ગત તા.26/1ના રોજ માથાકૂટ થઈ હોય આથી અલ્તાફ તેના ઘર પાસે આવેલા સુરજ નામના યુવાનની દુકાને ઉભો હતો. આ દરમિયાન લંમ્બુ અંગદ રામ અને શ્રવણ નામના શખ્સોએ જૂની અદાવતે હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મારામારીના બીજા બનાવમાં કુંભારવાડા એક્તાનગરમાં આજ વિસ્તારમાં રહેતો અલ્તાફ ઉર્ફે કોઠી અપશબ્દો બોલતો હતો. જેથી અપશબ્દો બોલવાની ના પાડતાં કોઠીએ ઉશ્કેરાઈ જઈ અંગદ તથા ધર્મપાલ પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. જેથી કોઠી વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગરના શિશુવિહાર પટાંગણમાં નેત્રયજ્ઞ યોજાયો, 171 જરૂરિયાતમંદ દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરાઈ
Next articleભાવનગરના રાજપરા ખોડિયાર તળાવમાં ઝંપલાવનારા વડવાના દંપતિની લાશ મળી