ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ કરાઈ

76

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી, જેમાં શહેર કૉંગ્રેસ દ્વારા જશોનાથ સર્કલ ખાતે પુષ્પાંજલિ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યો હતો જયારે આમ આદમી પાર્ટી દ્વારા ક્રેસન્ટ સર્કલ ખાતે ગાંધીજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યા હતા,

જેઓએ સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા, પરમ ધર્મોનું સૂત્ર આપ્યું અને અહિંસાના માર્ગે જેમને ૧૦૦ વર્ષે ગુલામી માંથી દેશને આઝાદી અપાવી અને ભારતને અહિંસાના માર્ગે જેઓએ ચાલ્યા તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની નિર્વાણ દિન નિમિતે ભાવનગર કૉંગ્રેસ દ્વારા જશોનાથ ચોક ખાતે ગાંધીજીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત દેશને અહિંસાના માર્ગે ચલાવી અને વિશ્વને અહિંસા નો માર્ગ આપનાર અને ભારત દેશને અહિંસા ને અપનાવી આઝાદી અપાવનાર રાષ્ટ્રીપિતા મહાત્મા ગાંધીજીના નિર્માણ દિવસ નિમિત્તે ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના ક્રેસન્ટ સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાપુ ને સૂતર ની આટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી,

Previous articleભાવનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા સહકારી સેમિનાર યોજાયો
Next articleગાંધીજીના નિર્વાણદિન નિમિતે ટ્રાફિક પોલીસે સિંગલ પોઈન્ટ પર સફાઈ અભિયાન હાથ ધરી લોકોને ટ્રાફિક અંગે માહિતી આપી જાગૃત કરાયા