તળાજાની સરકારી ઉચ્ચતર માધ્યમિક સાયન્સ સ્કુલ ખાતે આજે રસીકરણ નો બીજો ડોઝ ઉત્સાહ પૂર્વક વિધાર્થીઓ એ લાભ લીધો

104

તળાજાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (સાયન્સ) ખાતે આજે ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ ના ૧૧૫ જેટલા વિધાર્થી ભાઈ અને બહેનો એ ઉત્સાહ પૂર્વક રસીકરણ નો બીજો ડોઝ લઈ રસીકરણ કરાવેલ તળાજા અર્બન હેલ્થ સેન્ટર આરોગ્ય વિભાગ દ્વારા શાળામાં આવી કોરોનાની રસીનો બીજો ડોઝ આપેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ડો.પ્રકાશભાઈ રાઠોડ , મદદનીશ શિક્ષક પી.બી.મકવાણા તથા શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ તમામ વિધાર્થીઓ, વિધાર્થીનીઓ એ રસીકરણ અભિયાન ને ટેકો જાહેર કરી તમામ લોકોએ રસીકરણ લેવા જણાવેલ આરોગ્ય વિભાગ અને આગેવાનોએ વિધાર્થીઓ અને શાળા સ્ટાફ નો આભાર વ્યક્ત કરેલ

Previous articleમાઈ ભક્તોનો મનપસંદ માસ એવાં “માઘ” માસનો થયો પ્રારંભ
Next articleસારાએ કાશ્મીરની બર્ફીલી વાદીઓમાં પૂલમાં છલાંગ મારી