ભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત

75

શહેરમાં ૫ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૫ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, ભાવનગર શહેરમાં આજે એકપણ કેસ ન નોંધાયા હતા, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો,
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૫ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૫ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૫૦ કેસ પૈકી હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગરમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડીગ્રીએ પહોંચ્યો
Next articleઆઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઈતિહાસ અનુસ્નાતક ભવન, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ તેમજ વિદુષીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ વ્યાખ્યાનનું આયોજન