પ્રાર્થના જૈન સંઘ દ્વારા શિશુવિહારનું સન્માન

957

દા સાહેબ જૈન પ્રાર્થના સંઘ દ્વારા તેના ૨૯માં વાર્ષિક સમારંભ પ્રસંગે શિશુવિહાર સંસ્થાની સામાજિક સેવાઓનું સન્માન કરવામાં આવ્યું બાવનગરના જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતીમાં શિશુવિહાર સંસ્થા કાર્યકરોને પ્રશસ્તીપત્ર અને રૂા.૧૧,૦૦૦/- થી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પ્રાર્થના મંડળના ૯૦૦થી વધુ સ્વયંસેવકો પાસે હેતલભાઈ શાહ તથા મનીષભાઈ શાહે શિશુવિહારની સેવાકીય પ્રવૃત્તિઓ રજુ કરી હતી તથા શિશુવિહાર સંસ્થાની ૮૦ વર્ષ જનસેવાનો ચિતાર રજુ કર્યો હતો.
શિશુવિહાર સંસ્થા વતી સંસ્થાના કાર્યકર હીનાબેન ભટ્ટ તથા અનિલભાઈ બોરીચાએ સન્માન સ્વીકાર્યુ હતું. તેમજ સંસ્થાના મંત્રી ડો.નાનકભાઈ ભટ્ટે પ્રાર્થના સંઘનો આભાર વ્યક્ત કરતા સામાજિક સેવા અને વૈજ્ઞાનિક સમાજ અભિગમ વિષયે પોતાનાં વિચારો વ્યક્ત કર્યા હતા.

Previous article૩ દિવસથી ગુમ નાની કુંડળના આધેડની લાશ મળતા ચકચાર
Next article૨૦મીએ આદસંગ ધામે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં