વડવા વિસ્તારમાં પરીવાર પ્રસંગમાં જતાં તસ્કરો મહેમાન બન્યા : અઢી લાખની ચોરી

67

રોકડ-સોના-ચાંદીનાં દાગીના અને પરચૂરણ ચિજ વસ્તુઓ પણ તસ્કરો સાથે લેતા ગયા
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતો એક વિપ્ર પરીવાર કોઈ પ્રસંગ સબબ ઘરને તાળાં મારી ગારીયાધાર જતાં અજાણ્યા શખ્સોએ બંધ મકાનના તાળાં તોડી રૂપિયા અઢી થી ત્રણ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા વિસ્તારમાં ફાચરીયા વાડમાં આવેલ ડોક્ટર જયબાળાબેન ના દવાખાના પાસે રહેતા બ્રાહ્મણ ગણપતભાઈ પોપટભાઈ ભટ્ટ તાજેતરમાં તેમના ગારીયાધાર ખાતે રહેતા સબંધી ને ત્યાં કોઈ પ્રસંગે પરીવાર સાથે ગયાં હતાં એ દરમ્યાન રાત્રે અજાણ્યા શખ્સોએ બંધ મકાનના તાળાં તોડી રૂમમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના રોકડ રકમ તથા અન્ય પરચૂરણ ચીઝવસ્તુઓ મળી કુલ રૂ. અઢી થી ત્રણ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતાં પરીવારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleભાવ. ગાંધીગ્રામ વચ્ચે સીધી ટ્રેન સેવા માટે હવે લીલીઝંડીની રાહ
Next articleભાવનગર એક મહિનાથી કોરોના મુક્ત : તહેવારો-પ્રસંગોમાં ફરી ઉત્સાહ, પીડા ઓસરી…બધુ ફિલગુડ